SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાવરણ સંસ્કૃતિ અને પ્રાણીજગત પાસે શીખવાની વિનયશીલતા અને સહિષ્ણુતા પોતાનામાં જાગ્રત કરે તો આત્મબોધ તો થશે જ, પરંતુ એ કલ્યાણની ગંગામાં પર્યાવરણ ડૂબકી લગાવીને નિર્મળ વિમળ થઈ જશે. આ સંદર્ભમાં પોતાના પુસ્તક ‘Life force - The world of Jainism'માં વિખ્યાત અમેરિકન જૈન વિદ્વાન માઇકલ ટોબાયસે ખૂબ ઊંડાણથી લખીને જૈન ધર્મની શક્તિને સંજીવની આપી છે : “આપણે આ પેઢીમાં માત્ર આપણું સુખ નથી મેળવવાનું પરંતુ આખા સંસારના સુખને જોડવાનું છે. જ્યાં સુધી દરેક પ્રાણી શાંતિથી સૂઈ ન શકે, ત્યાં સુધી આપણે પણ સૂઈ ન શકીએ. અન્ય પ્રાણીઓને પોષક ભોજન ન મળે ત્યાં સુધી આપણે ભોજન નહીં લઈએ. જે પૃથ્વીનો અને એના ઉત્તમ ગુણતત્ત્વોનો દુરુપયોગ કરે એવી નિર્દયતાનો વિરોધ કરીશું.” “આપણી અંદર આ જીવનશક્તિ વિદ્યમાન છે. આપણે જન્મ લઈને મરીએ છીએ, પુનર્જીવન પામીએ છીએ, પ્રેમ કરવાનું અને એકબીજાને સમજવાનું પણ શીખીએ છીએ. આ ન હોય તો જીવન શૂન્ય થઈ જશે અને જ્યાં સુધી આ જીવનશક્તિ અને વિકાસનું સ્વાતંત્ર્ય આપણે દરેક જીવતત્ત્વમાં આરોપી શકીએ નહીં ત્યાં સુધી આપણે સંતોષ નહીં મેળવી શકીએ. એક ક્ષણ પણ થોભવાનો સમય નથી.” સાર એ નીકળે છે કે વર્તમાન પર્યાવરણ-સંકટ મનુષ્યના આધ્યાત્મિક સંકટનું પ્રતીક છે. મનુષ્ય ખોટા રસ્તે ભટકી રહ્યો છે અને એને હવે પોતાની મુશ્કેલીઓ ૫૨થી બોધ લઈને સ્વસ્થ અને સંતુલિત જીવનપથ પર પાછા ફરવું જોઈએ. દરેક મનુષ્યની સામે આ એક જવાબ માગતો પડકાર છે કે તે અંધકારનો ત્યાગ કરે અને આત્મપ્રકાશની તરફ આગળ વધે. મનુષ્યએ પોતાના દૃષ્ટિકોણ અને નૈતિક માપદંડમાં જડમૂળથી પરિવર્તન લાવવું જોઈએ. આ ત્યારે જ થશે જ્યારે આપણાં કાર્યોમાં આપણે પ્રકૃતિના નિયમો પ્રત્યે પુનઃ આદર, શ્રદ્ધા અને સાથે સાથે આપણી ભાવનાઓ જાગ્રત કરી દઈએ. આ જ જૈન ધર્મનો સંદેશ છે જે ગણાધિપતિ તુલસીના અણુવ્રત ગીતમાં સમાયેલો છે : Jain Education International 127 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy