________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
The Air is polluted The forests are dying The creatures are disappearing.
અર્થાત્ “હવે ધરતી વેરાન થઈ ગઈ, જલ ઝેરી બની ગયું, જંગલ મૃત્યુના કિનારે પહોંચ્યું, પ્રાણીજગત નામશેષ બની રહ્યું.
આને સુધારવામાં સમય લાગશે. આપણે જેટલો વધુ વિલંબ કરીશું અથવા ઉપેક્ષા કરીશું, તેટલું સંકટ વધતું જ જશે. વિલંબ કરવાને બદલે આપણે પ્રકૃતિની સાથેનો આપણો ભાવનાત્મક સંબંધ પુન: જલ્દીથી જોડી લેવો જોઈએ. એમાં જ જૈનદર્શન આત્મકલ્યાણ અને પરોપકારનો સંગમ જુએ છે.
ગુરુદેવ ચિત્રભાનુના એક અમેરિકન શિષ્યએ આ ભાવનાને એક કવિતામાં ખૂબ સંવેદનશીલતાથી વ્યક્ત કરી છે :
The trees were dancing gaily in the breeze. “Why do you so dance O tree!' I asked,
Nodding their foliage merrily, they replied, 'We bore the searing heat of the sun giving shade to the weary traveller and the drooping bird. We readily offered our fruit to the hungry. Should we not dance now, happy in the fulfillment of fortitude and compassion?'
અર્થાત્ વૃક્ષ હવામાં ખુશીથી નાચી રહ્યાં હતાં, મેં પ્રિય વૃક્ષોને પૂછ્યું, “આમ શા માટે ?”
પોતાની ડાળીઓને હર્ષથી હલાવીને વૃક્ષોએ ઉત્તર આપ્યો, “અમે સૂર્યનાં કિરણોની ગરમી સહન કરીને, થાકેલા માંદા રાહદારીઓ અને થાકેલાં પંખીઓને છાંયડો આપ્યો. અમે સહર્ષ પોતાનાં ફળોથી ભૂખ્યાઓની ભૂખ મિટાવી, હવે અમે શું કામ ન નાચીએ. અમે પોતાના પૈર્ય અને દયાના ગુણોના ફળને પામીને ખુશ છીએ.”
મનુષ્ય આવો વ્યાપક પર્યાવરણીય દૃષ્ટિકોણ વૃક્ષો, અન્ય પ્રાકૃતિક તત્ત્વો
126
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org