SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાવરણ સંસ્કૃતિ પરસ્પરોપગ્રહો જીવાનામ્ : જૈન સિદ્ધાંત “પરસ્પરોપગ્રહો જીવાનામ્' – મનુષ્યને પ્રેરણા આપે છે કે તે પ્રકૃતિ અને પ્રાણીજગત સાથે મનમેળ બનાવી પોતાના અંગત સ્વાર્થ ત્યજે અને આખા સંસારના સ્વસ્થ અસ્તિત્વનો રક્ષક તથા સંરક્ષક બને. એક અંગ્રેજ કવિએ ખૂબ સુંદરતાથી આ ભાવને નીચેની કવિતામાં વ્યક્ત કર્યો છે : We live in all things, all things live in us, We live by the sun, We move with the stars, We eat from the earth, we drink from the rain We breathe from the Air, we depend on the forest. અર્થાત્ આપણે બધા પદાર્થોથી જીવિત છીએ, બધા પદાર્થો આપણામાં જીવિત છે. આપણી સૂરજની સાથે જીવનકડી છે, આપણને તારાઓનો સાથે છે. પૃથ્વી આપણને ખાવાનું આપે છે, વરસાદથી આપણને પીવાનું પાણી મળે છે. પવનથી આપણે શ્વાસ લઈએ છીએ, અને વનસ્પતિ પર આપણે નિર્ભર છીએ.” આપણે તો પ્રકૃતિની ક્ષમા માગવી જોઈએ કે આપણે એને આટલી લૂંટી, સતાવી અને બરબાદ કરી. આપણે આપણા દૃષ્ટિકોણ અને રીતભાતમાં પરિવર્તન લાવવું જોઈએ જેથી પ્રકૃતિની સાથે પુનઃ સ્વાભાવિક ક્રમ પ્રાપ્ત થાય. વિશ્વમાં ફેલાયેલા જૈન સમાજને આ એક પડકાર છે; સાથે અવસર પણ છે કે તે પર્યાવરણીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગનું સમર્થન કરે અને અહિંસાપૂર્વક પર્યાવરણના ઉપયોગ માટે સંકલ્પ કરે. આ પડકાર સહેલો નથી કારણ કે પહેલાં તો આપણે પોતાની જાતને ધર્મના નૈતિક રસ્તા પર પાછી વાળવી પડશે, આપણે પ્રકૃતિનો આદર કરતાં શીખવું પડશે, અને જીવદયાને પ્રેરણાસ્તંભ બનાવવાની છે. આપણી શોષણની રીતભાતોએ ગંભીર સંકટ ઊભું કરી દીધું છે. કવિના શબ્દોમાં : Now the land is barren The waters are poisoned 125 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy