________________
પર્યાવરણ સંસ્કૃતિ
મનુષ્યને આખા વર્ષ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન નષ્ટ થઈ જાય છે.
ધૂમ્રપાન, તમાકુ, ગુટકા સેવનથી કેન્સર, માથાના રોગ, ઇન્દ્રિય-નબળાઈ અને વિવેકમાં ઓછપ આવે છે. માટે જગતનાં બધાં સાર્વજનિક સ્થળો, હવાઈ યાત્રાઓ વગેરેમાં ધૂમ્રપાનનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે. ધૂમ્રપાનથી તેજસૂકાયની હિંસા તથા વાયુ પ્રદૂષિત થાય છે. આ માત્ર હિંસા નથી, આત્મહત્યા સમાન છે. ધીમા મૃત્યુને નિમંત્રણ આપવા બરાબર છે.
આચારાંગ (૧-૧-૪-૩ર)માં કહેવામાં આવ્યું છે : “જે અગ્નિકાય જીવોના અસ્તિત્વની અવગણના કરે છે તે પોતાના અસ્તિત્વની પણ અવગણના કરે છે.”
“જે વ્યક્તિ અગ્નિ, શસ્ત્રના સ્વરૂપ તથા એનાથી થનારી ભયંકર હાનિને જાણે છે, તે સંયમને જાણે છે અને જે સંયમને જાણે છે, તે અગ્નિકાય શસ્ત્રના સ્વરૂપને જાણે છે.”
(૭) વનસ્પતિક્ષેત્ર વનસ્પતિકાયની હિંસાથી પણ ઑક્સિજનનો નાશ થઈ રહ્યો છે તથા ભૂરક્ષણ અને ભૂખ્ખલન વધતાં ગયાં છે. ઝાડ-છોડ, શાકભાજી, અનાજ, ફળ-ફૂલ, દાળ, વનૌષધિઓ, સૂકો મેવો, મરી-મસાલા વગેરે બધા વનસ્પતિજન્ય છે. વનસ્પતિમાં જીવ છે એવું જૈન ધર્મમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં લખાયેલા આગમોની આ વાત જીવ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે શોધ રૂપે વીસમી શતાબ્દીમાં કહી. એમણે સાબિત કરી આપ્યું કે વનસ્પતિમાં જીવ છે, અનુભૂતિ છે, સંવેદના છે.
ઝાડ-છોડ કાપવાને કારણે મનુષ્ય અને પશુઓનાં જીવન પ્રકૃતિથી દૂર જઈ રહ્યાં છે. એમાં કૃત્રિમતા આવે છે અને પર્યાવરણનું સંતુલન બગડી જાય છે. જૈન આગમ “આચારાંગ' (૧-૧-૫-૪૪)માં કહેવામાં આવ્યું છે :
જે વ્યક્તિ વિવિધ પ્રકારનાં શસ્ત્રો (ખાતર, ઝેરી રસાયણ, જંતુનાશક દવાઓ વગેરે)થી જીવોનો નાશ કરે છે, તેઓ એનાથી આશ્રિત વિવિધ પ્રકારના જીવોનો પણ ઘાત કરે છે.”
જૈન ધર્મગ્રંથોમાં પર્યાવરણ-સંરક્ષણ અને પ્રદૂષણ-નિવારણ માટે જીવ અને અજીવ બંને પદાર્થો પ્રત્યે ૧૭ પ્રકારના સંયમ બતાવવામાં આવ્યા છે :
121
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org