________________
પર્યાવરણ સંસ્કૃતિ
વનસ્પતિકાયના તથા બે અને ત્રણ ઇન્દ્રિય ધરાવતા પ્રાણીઓ વગેરે જીવજંતુઓ ઊછરે છે. જ્યારે મનુષ્ય પાણીમાં ગંદકી, કચરો, ઝેરી રાસાયણિક પદાર્થ વગેરે. નાખીને એને મેલું કરે છે ત્યારે એમાં કેટલાય હાનિકારક કીટાણુ પેદા થઈ જાય છે. જર્મનીની રાઇન નદીમાં જળપ્રદૂષણના કારણે લાખો માછલીઓ મરી ગઈ. આપણા દેશની ગંગા, યમુના, નર્મદા, કાવેરી અને બધી નદીઓ જેને આપણે માતા સમાન પૂજીએ છીએ, તે આજે આપણી ઔદ્યોગિક નીતિના કારણે અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે. ભગવાન મહાવીરે કહ્યું હતું :
“જે આ નાના પ્રકારના (પ્રદૂષણવર્ધક કચરો, મળમૂત્ર વગેરે) શસ્ત્રોથી જલકર્મ-સમારંભના માટે હિંસા કરે છે, તેઓ જળની જ નહીં, તેના આશ્રિત અનેકાનેક પ્રાણીઓની હિંસા કરે છે.” (આચારાંગ - ૧-૧-૩-૨૫)”
શહેર અને ગામની ગટરોમાં રહેલા પાણીના ભયંકર પ્રદૂષણે જીવનને દુર્ગધ અને દુર્ગધજન્ય રોગોનો શિકાર બનાવી દીધાં છે. એક કવિ લખે છે :
“મારા ઘરની પાછળ, એક નાળું છે, નાળામાં કીડા છે, કીડા કિલ્લોલ કરે છે.
આ પણ કંઈ જીવન છે?” (૪) વાયુમંડળ : વાયુમંડળ જળની જેમ જ મહત્ત્વપૂર્ણ છે. વાયુ અને વનસ્પતિ પણ સજીવ હોય છે. આચારાંગસૂત્રમાં જળ, અગ્નિ, વાયુની સજીવતા સિદ્ધ કરવામાં આવી છે અને એના સંરક્ષણનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આજે વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યારૂપે આપણી સામે છે. કારખાનાંઓના ધુમાડા, મોટરકાર, રેલવે એન્જિન, સ્કૂટર, એરોપ્લેન – આ બધાં પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે, જેનો ધુમાડો વાયુમંડળને ઝેરી અને પ્રદૂષિત કરે છે.
છેલ્લી શતાબ્દીમાં હવામાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં ૧૬ ટકાનો વધારો થયો છે. એનાથી જરૂરી પ્રાણવાયુ (ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, પરિણામે શ્વાસરોગ, દમ, હૃદયરોગ, બ્લડપ્રેશર, કેન્સર, નેત્રરોગ, ત્વચારોગ અને ક્ષયરોગ વગેરે વધી રહ્યા છે.
119
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org