________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
બધાં પ્રાકૃતિક સાધનો વડે ફૂલેફાલે છે. એટલે બધા જીવોની પ્રજાતિઓનું જ રક્ષણ થાય તે પૂરતું નથી પરંતુ સાથે સાથે પ્રાકૃતિક સંસાધનોનું પણ રક્ષણ થવું જોઈએ. આજના હિંસક યુગમાં જીવોની કેટલીય પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને થતી રહે છે.
(૨) સ્થળમંડળ : સ્થળમંડળમાં આવે છે પૃથ્વી જેના ગર્ભમાં વિવિધ પ્રકારના ખનીજ પદાર્થ અને જળસંપત્તિ રહે છે. એની સપાટી પર માટી, પર્વત, મેદાન, જંગલ, નદીઓ, સરોવર, તળાવ વગેરે હોય છે. પૃથ્વી પર અનેક જલચર, સ્થળચર, ખેચર પ્રાણી અને પક્ષી વિચરણ કરે છે. પૃથ્વી અને એની સાથે સાથે સઘળા પર્યાવરણનું સાચા અર્થમાં સંરક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે. પૃથ્વીના અનિયંત્રિત અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ વિચારના અભાવના કારણે બિનજરૂરી થઈ રહેલા દુર્બયથી ભૂગર્ભ સંપત્તિ (ખનિજ, કોલસો, સોનું, ચાંદી વગેરે) ખલાસ થતા જઈ રહ્યા છે. જંગલોનો નાશ થતો જાય છે, જમીન વેરાન થતી જાય છે અને રણનો વિસ્તાર વધતો જાય છે.
બારૂત દ્વારા થતા અનેક વિસ્ફોટોના કારણે જમીન નીચે ખસતી જાય છે અને આ કારણે ભૂકંપ, પૂર વગેરે વધારે (ભારે) પ્રમાણમાં આવવા લાગ્યાં છે. ભગવાન મહાવીરે આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું, “સગ્રુહસ્થ લોકોએ
સ્ફોટક કર્મ ન કરવું જોઈએ કે ન કરાવવું જોઈએ. મનુષ્ય પૃથ્વીકાય જીવોની હિંસા કરવાની સાથોસાથ મનુષ્યની જ નહીં પરંતુ અનેક સંબંધિત પ્રાણીઓની હિંસા કરે છે.” (આચારાંગ ૧-૧-૩૪)
(૩) જળમંડળ : જળમંડળમાં આવે છે પૃથ્વી પર અને એને ઘેરી રહેલા જળના સ્ત્રોત, જેનું સંરક્ષણ અહિંસાધર્મ થઈ જાય છે કારણ કે જો જળ પ્રદૂષિત થાય કે જલનો અભાવ થઈ જાય તો મનુષ્ય અને પ્રાણીજગતની સામે એક જટીલ સમસ્યા ઊભી થઈ જશે. પાણીનો વ્યર્થ વ્યય ન કરવો, એને ગાળીને પીવું, એને દૂષિત, ઝેરી કે વિકૃત ન થવા દેવું એ માનવની જિંદગીને માટે મહત્ત્વપૂર્ણ છે.
જૈન ધર્મની દૃષ્ટિએ પાણી પણ એક સજીવ તત્ત્વ છે. એમાં અપકાયિક સ્થાવર જીવ જોવા મળે છે. એટલું જ નહીં, જળકાય જીવોના આશ્રયે
18.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org