________________
પર્યાવરણ સંસ્કૃતિ
(અર્થાતુ પોતાની ધરતીને ઓળખો, એને પ્યાર કરો, એની સંભાળ લો, કારણ કે તમે સ્વયં ધરતી માતાના જ સંતાન છો. તમારી રચના એનાં તત્ત્વોથી તો થઈ છે; તમે જ છો જીવંત પૃથ્વીના ચેતનરૂપ એનું મસ્તિષ્ક અને હૃદય.) પર્યાવરણ વિષે જૈન આગમ :
પર્યાવરણ પ્રકૃતિનું અનુશાસન છે. પર્યાવરણ-સંરક્ષણ માટે પ્રાકૃતિક અને ભૌગોલિક બને તથ્યો પર ધ્યાન રાખવું જરૂરી છે. જેવી રીતે ભૂ-વૈજ્ઞાનિકોએ ભૌગોલિક દૃષ્ટિએ પર્યાવરણનું વિશ્લેષણ કર્યું છે, એનાથી કેટલાંય ગણું વધુ સારગર્ભિત, તાત્ત્વિક, સૂક્ષ્મ, ગહન અને વિશદ વિવેચન જૈન આગમ સાહિત્યમાં જોવા મળે છે.
જૈન ધર્મમાં વ્યાપક ફલકમાં પ્રકૃતિને જીવન અને જગતનું પોષક તત્ત્વ માનવામાં આવ્યું છે. જૈન આગમોમાં તો પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય આ પાંચે સ્થાવર જીવોની બાબતમાં વિસ્તાર અને ઊંડાણથી નિરૂપણ થયું છે. તથા માનવીય જીવન સાથે પરસ્પર ઘનિષ્ઠ સંબંધ તથા ઉપકાર્ય ઉપકારક ભાવ પણ બતાવ્યો છે. જૈન ધર્મ પ્રાણીમાત્રની ઉપેક્ષાથી પ્રાણીવિનાશ અને જીવનસૃષ્ટિની માનહાનિની દૃષ્ટિથી અહિંસા અને સંયમનો વિચાર રજૂ કરે છે. જૈન ધર્મમાં પર્યાવરણને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવ્યું છે. જૈન ધર્મનો રસ્તો છેશારીરિક, માનસિક, આધ્યાત્મિક અને પર્યાવરણીય આરોગ્યનો અને સાચા સમ્યફ બોધિલાભનો. એ “જીવો અને જીવવા દો'ના સિદ્ધાંતમાં સમાઈ જાય છે.
જીવ બે પ્રકારના હોય છે : ત્રાસ અને સ્થાવર. બે ઇન્દ્રિયોથી લઈને પાંચ ઇન્દ્રિયોવાળા જીવો ત્રસ કહેવાય છે તથા પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય, તેજસ-કાય, અપકાય – આ સ્થાવરકાય છે. પર્યાવરણનો આ બધા જીવો સાથે ઊંડો સબંધ છે.
પર્યાવરણનાં મૂળ તત્ત્વ છે : (૧) જીવમંડળ, (૨) સ્થળમંડળ, (૩) જળમંડળ, (૪) વાયુમંડળ, (૫) ધ્વનિક્ષેત્ર, (૬) અગ્નિક્ષેત્ર, (૭) વનસ્પતિક્ષેત્ર.
(૧) જીવમંડળ: જીવમંડળમાં મનુષ્ય ઉપરાંત આખું પ્રાણીજગત આવે છે જે
117
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org