SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાવરણ સંસ્કૃતિ પોતાની મરજી મુજબ શોષણ કર્યા કરે. મનુષ્યની હિંસક, ઉલ્લંઘનભરી અને ટૂંકી નજરવાળી પ્રવૃત્તિઓના કારણે જ પર્યાવરણ આટલું પ્રદૂષિત થઈ ગયું છે. નૈસર્ગિક શૃંખલા અને સમતુલા છિન્નભિન્ન થઈ ગઈ છે અને આપણે વિનાશના આરે પહોંચી ગયા છીએ. આ વિનાશથી બચવા માટે માત્ર વૈજ્ઞાનિક અથવા સરકારી કાર્યવાહી પૂરતી નથી. સર્વપ્રથમ મનુષ્ય પોતાનો મિથ્યા દૃષ્ટિકોણ બદલવો પડશે કે તે આ સૃષ્ટિનો માલિક છે. સમ્યફ અને વિવેકપૂર્ણ દૃષ્ટિકોણને અપનાવવો પડશે. જૈન ધર્મમાં આવા જ સમ્યક્ દૃષ્ટિકોણની વિશદ વ્યાખ્યા છે. મનુષ્યના વિચાર અહિંસક, સહિષ્ણુ, સહકારી, અહમવિહીન અને સહયોગી થઈ જાય તો મનુષ્ય પુનઃ પ્રકૃતિ અને પ્રાણીજગત સાથે મનભાવન લેખાંજોખાં અને સુમેળ સ્થાપી શકે છે. જૈનદર્શન અને અન્ય કેટલાંય દર્શનોમાં સમજાવવામાં પણ આવ્યું છે કે માનવ, પ્રકૃતિ અને પ્રાણીજગત પૃથ્વીને સંભાળીને રાખનારા બરાબરના ભાગીદાર છે. મનુષ્યને કોઈ વિશેષ અથવા નિરંકુશ અધિકાર બાપદાદાએ કે પટ્ટ પરંપરાએ કાયદેસર રીતે આપ્યા નથી. આધુનિક ભાષામાં પૃથ્વીનું સંચાલન આધ્યાત્મિક સમાજવાદ (spiritual socialism)ના નિરીક્ષણ હેઠળ છે અને પર્યાવરણ માનવથી લઈને પ્રાકૃતિક તત્ત્વોનું સામૂહિક સંચલન છે. વળી ભારતીય ધર્મોમાં પૃથ્વીને ધરતીમાતાનું પદ આપવામાં આવ્યું છે. વેદોમાં ધરતીમાતાની સ્તુતિમાં કહેવામાં આવ્યું છે : “સમુદ્ર તમારી કટિમેખલા છે, પહાડ તમારાં વક્ષસ્થળ છે, ઓ ધરતીમાતા, મારા પ્રણામ સ્વીકાર કરો અને મને ક્ષમા કરો કે હું તમારા પર પગ રાખીને ચાલવાનું દુ:સાહસ કરી રહ્યો છું.” ભગવાન મહાવીરે કહ્યું છે : “જે પૃથ્વી, જલ, અગ્નિ, પવન અને વનસ્પતિની ઉપેક્ષા કરે છે તે પોતાના અસ્તિત્વના આધારની ઉપેક્ષા કરે છે કારણ કે તે આ બધાની સાથે તાણાવાણાથી વણાયેલો છે.” સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે શોક – સમગ્ર પ્રાણીજગતને આપણે 115 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy