________________
પર્યાવરણ સંસ્કૃતિ
પર્યાવરણ પ્રત્યે વધતી જતી ચેતના :
વર્તમાન સમયમાં પર્યાવરણ બહુચર્ચિત વિષય બની ગયો છે. છેલ્લાં ૩૦ વર્ષોમાં વિશેષ કરીને પર્યાવરણની બાબતમાં સમગ્ર માનવસમાજમાં ચેતના અને જાગૃતિ ફેલાયેલી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિભિન્ન રાષ્ટ્રીય સરકારો તથા કેટલાંય લોકસેવા-સંગઠનો વચ્ચે પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધન પર વિસ્તૃત વિચારવિમર્શ થયો છે. ૧૯૭રમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ શિખર સંમેલન યોજાયું જેમાં વિભિન્ન દેશોના પ્રમુખો, પ્રધાનમંત્રીઓએ ભાગ લીધો. પર્યાવરણના મૂળભૂત મુદ્દાઓ પર ૧૯૯૨માં બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરોમાં વિરાટ શિખર સંમેલન યોજાયું જેને પ્રથમ વિશ્વ શિખર સંમેલન તરીકે ઓળખવામાં આવ્યું. દસ વર્ષ પછી દ્વિતીય વિશ્વ શિખર સંમેલન દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં સપ્ટેમ્બર ૨૦૦૨માં સંપન્ન થયું. ડામાડોળ પ્રાકૃતિક સમતોલન :
અગ્નિ, ભૂમિ, જલ, હવા, જંગલ અથવા આકાશ કોઈ પણ પ્રાકૃતિક વિસ્તારનું ક્ષેત્ર લઈએ, પર્યાવરણ દૂષિત, વિકૃત, ઝેરી થઈ રહ્યું છે. પ્રદૂષણની માત્રા ઊંડી ચિંતાનો વિષય બની ગઈ છે. ઊંડાણથી જોઈએ અને
112
112
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org