________________
અનેકાંત સંસ્કૃતિ
(Fundamentalism) ઉગ્રવાદે પોતાનું માથું ઊંચું કર્યું છે. આનાથી અસહિષ્ણુતાનું વિષ ફેલાઈને માનવ-સમાજને અશાંત, ઉદ્વિગ્ન અને અસ્થિર કરી રહ્યું છે. માનવસમાજના અગણિત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કીર્તિમાનો ધૂંધળા થઈ રહ્યા છે. માનવતાની સામે એક નિરંકુશ એકાંગી વિચા૨ના વધતા દુ:સાહસનો ગંભી૨ પડકાર છે એને અહિંસા પ્રેરિત અનેકાંત સંસ્કૃતિથી દૂર કરી શકાય છે. અનેકાંત દૃષ્ટિકોણ આપણા સહુના હૃદયમાં માત્ર વિશ્વાસ જગાવશે એટલું જ નહીં, પણ સાથે સાથે સામૂહિક સૌહાર્દભર્યા પ્રગતિનાં દ્વાર પણ ખોલશે. માત્ર એક જ ફૂલ ખીલવાથી બગીચો વિરાન લાગે છે. જ્યારે હજારો રંગબેરંગી ફૂલ એક સાથે ખીલશે ત્યારે દેખાવ બીજો જ હશે. એની સામૂહિક સુગંધ અને એની વિવિધતામાં છુપાયેલી સૌંદર્યની લહેર આ સંસારને એક ઉપવન બનાવી દેશે અને દરેક ફૂલનો પોતાનો અદ્ભુત રંગ અને પોતાની અલગ સુગંધ પણ જનમનને હર્ષ આપતાં રહેશે.
આજે જ્યારે આર્થિક ક્ષેત્રમાં આપણે વૈશ્વિકીકરણને અપનાવી લીધું છે અને વૈજ્ઞાનિક પ્રગતિએ અંતરને ઘટાડી દીધું છે અને સંચાર સંપર્ક ખૂબ વિકસિત કરી દીધા છે ત્યારે આપણે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રોમાં પણ શા માટે એકતા સૂત્રને મજબૂત ન બનાવીએ ? આ કાર્યમાં અનેકાંત સંસ્કૃતિ નિરંતર પ્રેરણાનો સ્રોત બને અને પ્રગતિશીલ તથા મજબૂત માર્ગદર્શક પણ બને. અનેકાંત જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિનું અવિભાજ્ય અને સૌહાર્દપોષક ગુણતત્ત્વ છે જેની આ યુગમાં વિશ્વસ્તરે માંગ છે.
Jain Education International
111
For Personal & Private Use Only
www.jainelibrary.org