________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
ગહનતા અને ઝીણવટથી સમજવો જરૂરી છે, નહીં તો એ વિશે ખોટી ધારણા ઊભી થઈ શકે. શંકરાચાર્યએ આને સંશયવાદ કહીને બાતલ કરી દીધો. કેટલાય વિદ્વાનોએ આને “સંશયવાદ' અથવા “સંભાવનાવાદ' કહીને સંકુચિત બનાવી દીધો. અનેકાંતનું તો વ્યાપક રૂપ છે કારણ કે તે પ્રત્યેક વસ્તુસ્થિતિ અથવા પરિસ્થિતિની તપાસ અને વિશ્લેષણ આ વસ્તુનાં બધાં ગુણતત્ત્વોને દૃષ્ટિમાં રાખીને કરે છે.
વર્તમાન યુગમાં Theory of relativity (સાપેક્ષતાનો સિદ્ધાંત) પણ અનેકાંત દ્વારા સત્યના અન્વેષણનો જ આધાર લે છે. આખી સૃષ્ટિનું અનેકાંત સિદ્ધાંત પર સંચાલન થાય છે કારણ કે વિભિન્ન ચેતન અને અચેતન પદાર્થોનાં વિભિન્ન ગુણતત્ત્વો સંવાદિત થઈને પોતાની રચનાત્મક શક્તિ વિકસાવે છે અને એનાથી પૃથ્વી પર જીવન નિરંતર પ્રગતિ કરે છે. અનેકાંતનું મહત્ત્વ :
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માએ સરળ ભાષામાં અનેકાંતનું મહત્ત્વ પોતાના એક ભાષણમાં ઈ. સ. ૧૯૯૬માં ખૂબ જ સારગર્ભિત રૂપે સમજાવ્યું. તેઓ શ્વેતાંબર જૈનાચાર્ય શ્રી જયંતસૂરિને “અનેકાંતરત્ન'ની પદવી એક વિશેષ સમારોહમાં પ્રદાન કરી રહ્યા હતા. એમણે કહ્યું :
વસ્તુત: અનેકાંતવાદ જીવન તથા વસ્તુની પ્રત્યે ઉદાર દૃષ્ટિકોણનું જ બીજું નામ છે. આ દર્શન વ્યક્તિત્વના માનસિક તનાવને દૂર કરવાનું તથા બીજાની સાથે થતી બિનજરૂરી ટક્કરોને ટાળવા માટે મહત્ત્વપૂર્ણ કામ કરે છે. આનાથી નિશ્ચિત રૂપે એવા સમાજની સ્થાપનામાં મદદ મળશે જે પોતાની શક્તિનો ઉપયોગ રચનાત્મક કાર્યોમાં કરે.”
આજે આપણે લોકશાહીતંત્રમાં વસી રહ્યા છીએ. આ રાજનૈતિક પ્રણાલી મૂળ રૂપથી સત્તાપક્ષ અને વિરોધપક્ષના સહઅસ્તિત્વ અને સુમેળ પર આધારિત વ્યવસ્થા છે. આપણી રાજનૈતિક પ્રણાલીમાં અનેકાંતના આ મહાન ઐતિહાસિક વિચારનું યોગ્ય રૂપે પાલન કરી આપણે લોકોની સામે એક ઉચ્ચ આદર્શ પ્રસ્તુત કરી શકીએ.”
108
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org