________________
અનેકાંત સંસ્કૃતિ
અનેકાંતની વ્યાખ્યા :
જૈન ધર્મની માન્યતા છે કે વસ્તુસ્વરૂપ જ ધર્મ છે અને જો સમ્યકજ્ઞાન તરફ આગળ વધવું હોય તો વસ્તુસ્વરૂપ કે જે અનેકાંતાત્મક છે, સમજવા માટે એના વિભિન્ન પક્ષોને જાણવાનો અને સમજવાનો પ્રયાસ મનુષ્યોએ જિજ્ઞાસાભાવથી કરવો જોઈએ, જેથી તે મિથ્યાત્વના ઘેરામાં ફસાઈ ન જાય. એ સ્પષ્ટ છે કે અનેકાંતમાં સત્યનો જૂઠ સાથે મેળ નથી, આ તો સંપૂર્ણ સત્ય શોધવાનું એક માધ્યમ છે. એકાંતિક દૃષ્ટિ તે નિશ્ચયકાંત હોય અથવા વ્યવહારકાંત; તે અપર્યાપ્ત છે કારણ કે તુલનાત્મક દૃષ્ટિથી એના ગુણ-દોષ સ્પષ્ટ થવાનો મોકો રહેતો નથી.
ઇતિહાસ સાક્ષી છે કે સીમિત જ્ઞાન અને એકાંગી અનુભવો અંતર્ગત કરવામાં આવેલા પ્રયાસો અને એનાં પરિણામ પૂર્ણ સત્યની શોધમાં અપૂર્ણ રહ્યાં અને સર્વમાન્ય ન થઈ શક્યાં માટે સમત્વપૂર્ણ એકતાના અભાવમાં વિશ્વમાં નવા-નવા મતમતાંતરોની દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થતી રહી છે અને આખો માનવસમાજ વિભિન્ન ધર્મોમાં, રાજનૈતિક વ્યવસ્થાઓમાં અને સામાજિક સંપ્રદાયવાદમાં પીંખાતો રહ્યો છે.
રાજનીતિમાં જ જુઓ, કેટલા પ્રયોગ થતા રહ્યા. પૂંજીવાદી શિખર પર પહોંચ્યો, એને પાડીને સામ્યવાદ ઊભો થયો. એ પણ ખતમ થઈ ગયો. ઉપનિવેશવાદ ગયો, સામ્રાજ્યવાદ ખતમ થયો. દરેક વાદ પોતાના સમયમાં પોતાની જાતને પૂર્ણ સત્ય માનવાનો દંભ કરતો રહ્યો. આજે આપણે વૈશ્વિકકરણની વાત કરી રહ્યા છીએ અને માનવનું માનવ પ્રત્યે શોષણ ચાલુ જ છે. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનું અંતર વધતું રહ્યું છે. અસલી સત્ય તો ઉપેક્ષિત થઈ ગયું અને આપણે કહેવાતાં સત્યોના ભ્રમમાં આવીને પ્રયોગ પર પ્રયોગ કરી રહ્યા છીએ. તેથી ઇતિહાસ પોતાની ભૂલો દોહરાવે છે, યુદ્ધો થતા રહે છે, તનાવ સતત રહે છે અને શાંતિની શોધ મૃગતૃષ્ણા બની રહે છે.
આવી જ વસ્તુસ્થિતિને પોતાના સમયમાં જોઈને ભગવાન મહાવીરે સમદષ્ટિ' પ્રોત્સાહિત કરવાનો ઉપદેશ આપ્યો, જેનાથી સંસારનાં દુ:ખો જે ભૂમબુદ્ધિ (મિથ્યાદર્શન), અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) અને અસંયમ (મિથ્થા-ચરિત્ર
105
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org