________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
આવા વાતાવરણમાં મહાવીરે અહિંસાને સર્વોચ્ચ ધર્મ બનાવવાની વાત ઉચ્ચારી પરંતુ અહિંસા ધર્મના સત્યને જાણવા માટે એમણે પોતે ગહન સાધના કરી, રાજપાટનો વૈભવ છોડ્યો, યાતનાઓ સહન કરી. ત્યારે બીજાઓને લાગ્યું કે મહાવીર કોઈ પોથી વાંચીને ઉપદેશ નથી આપી રહ્યા. તેઓ અંધશ્રદ્ધાળુ કે રૂઢિચુસ્ત નથી. તેઓ કોઈ પૂર્વગ્રહથી પીડાતા નથી. તેઓ જે કંઈ કરી રહ્યા છે તે ‘સર્વોદય માટે છે. બધાંનાં કલ્યાણને માટે છે અને એમનો દૃષ્ટિકોણ સમન્વયી અનેકાંતનો છે. ઇતિહાસની ૨૫૦૦ વર્ષની ઊથલપાથલ પછી પણ મહાવીરનો અહિંસાનો સંદેશ જીવંત છે.
આ છે “અનેકાંત” દૃષ્ટિકોણનું મંગળ પરિણામ. આ જોઈને જૈનાચાર્ય સમન્તભદ્રસ્વામીએ યુજ્યનુશાસનમાં લખ્યું :
"सर्वान्तवत्तदगुणमुख्यकल्पं, सर्वान्त शून्यं च मिथोडनपेक्षं, सर्वा पदामन्तकरं निरन्तं सर्वोदयं तीर्थमिदं तवैव."
(અર્થાત્ વસ્તુ અનંત ધર્માત્મક છે. અનેકાંત વસ્તુનાં તમામ (પરસ્પર વિરોધી પણ) પાસાં પર દૃષ્ટિ નાખે છે, બધાંને પ્રકાશિત કરે છે, એની સત્તાનો સ્વીકાર કરે છે. વિરોધી સ્વભાવોને ગૌણ કરીને મુખ્ય રૂપે સ્યાદ્વાદ શૈલીથી સાબિત કરે છે. જે દૃષ્ટિ સર્વધર્મી ન હોઈને કોઈ એક બાજુને માન્ય કરે છે, અન્ય વિરોધી બાજુઓની ઉપેક્ષા કરે છે, તે મિથ્યા છે. આ અનેકાંત રૂપ સર્વોદય તીર્થ ભગવાન મહાવીરની ભેટ છે. આનાથી તમામ આસક્તિઓનો નાશ થાય છે - આ જ શાશ્વત છે.).
વિભિન્ન મતોનો આદર કરતા મહાવીરે વિષમતા, જાતિવાદ, ભાષાવાદ, ઈશ્વરવાદ અને હિંસક પ્રવૃત્તિઓના વિરોધમાં અહિંસક ક્રાંતિનું આહવાન કર્યું. એમના વિચારોમાં તે સમ્યકજ્ઞાનનું પ્રતિબિંબ હતું જેણે એમને વિશુદ્ધ નિસ્વાર્થ માનવતાવાદી અને કરુણાપ્રધાન દૃષ્ટિ આપી. “અનેકાંતના માધ્યમથી એમણે પ્રેમ, સમતા, મૈત્રી, સમન્વય, કરુણા અને પરસ્પરોપગ્રહો જીવાનામ'નો શાશ્વત સંદેશો આપ્યો.
104
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org