SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ માત્ર એક અંશ અથવા અંગ જ જોઈ શકીએ અને અંધવિશ્વાસ, પૂર્વગ્રહયુક્ત વિચારધારા કે અહમના આધારે પોતાનો કક્કો જ સાચો ઠેરવીએ. મનુષ્ય અધ્યાત્મદૃષ્ટિથી મુક્તિ શોધવાનો રસ્તો પોતાના જીવનમાં શોધે છે અને એના માટે કાર્ય કરે છે. જૈનદર્શનમાં શુદ્ધ બોધને મુક્તિનું સાધન માનવામાં આવ્યું છે. પરંતુ આ એક બેધારી તલવાર જેવું છે. શુદ્ધ બોધના સ્થાને જો આપણે મિથ્યા બોધને જ શુદ્ધ બોધ સમજી બેસીએ તો આપણે ગેરમાર્ગે દોરવાઈ જઈશું. પોતાના પુસ્તક “જૈન ધર્મમાં (પૃષ્ઠ ૨૩૮) ગુરુજી આચાર્ય સુશીલ મુનિએ આને ખૂબ સુંદર રીતે આ પ્રમાણે સમજાવ્યું છે : “જ્ઞાનની સાથે જો નમ્રતા હોય, ઉદારતા હોય, નિષ્પક્ષતા હોય, સાત્ત્વિક જિજ્ઞાસા હોય, સહિષ્ણુતા હોય, તો જ જ્ઞાન, આત્મવિશ્વાસનું સાધન બની શકે છે. એનાથી વિપરીત જ્ઞાનની સાથે જો ઉદ્દેડતા, સંકીર્ણતા, પક્ષપાત તથા અસહિષ્ણુતા ઉત્પન્ન થઈ જાય તો તે અધ:પતનનું કારણ બની જાય છે. માનવીય નબળાઈથી ઉત્પન્ન આ અનિચ્છનીય વૃત્તિઓ અમૃતને પણ વિષ બનાવી દે છે. જૈન ધર્મે કલાનો આવિષ્કાર કર્યો છે. એ કલા જ્ઞાનને સત્ય, શિવ અને સુંદર બનાવે છે. એ કલાને જૈન દર્શને અનેકાંત દૃષ્ટિનું નામ આપ્યું છે. આ દૃષ્ટિ પરસ્પર વિરોધી વાદો વચ્ચે સમન્વય કરનારી, પરિપૂર્ણ સત્યની પ્રતિષ્ઠા કરનારી અને બુદ્ધિમાં ઉદારતા, નમ્રતા, સહિષ્ણુતા અને સાત્ત્વિકતા ઉત્પન્ન કરનારી છે. દાર્શનિક જગતને માટે અનેકાંત એક મહાન વરદાન છે.” અનેકાંતનાં જીવનદૃષ્ટાંત : - સૂર્યનાં કિરણો : સત્યમાં સૂર્યનાં કિરણોની જેમ કેટલાંય કિરણો હોય છે. સત્યનું એકાંગી વર્ણન ભલે એક કે બે વૃક્ષ ઓળખે, પરંતુ આખા જંગલને ઓળખવાનું ભૂલી જાય છે અથવા સંપૂર્ણ સત્યની ઉપેક્ષા કરી દે છે. કારણ એ છે કે વસ્તુ અથવા સ્થિતિનો સ્વભાવ અનેકાંતાત્મક છે. એના સંબંધમાં તથ્ય એકથી વધુ અનંત પણ હોઈ શકે છે. અંતનો મતલબ છે વસ્તુનો ગુણ. પારિવારિક સંબંધ : એ સરળ ઉદાહરણ છે કારણ કે મનુષ્ય એક જ સમયે પોતાના પારિવારિક તાણાવાણામાં પુત્ર, પિતા, પતિ, દાદા, નાના, કાકા, મિત્ર 100 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy