________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
સમર્થ છે. એકઠું કરવાનું છોડી, વહેંચવાનું શીખો; શોષણનો ત્યાગ કરી સમાનતાને અપનાવો; લેપાવ નહીં, નિર્લેપ રહેતા શીખો; અહંકાર છોડી, પ્રેમનો ફેલાવો કરો; તૃષ્ણા અને લાલચમાં ન ફસાતાં કરુણા અને સહયોગના રસ્તાને પસંદ કરો; ધર્મના સ્વરથી વાણીવિલાસમાં ન રાચતાં, સાચો ધર્મ સંયમ, મર્યાદા અને દયાનાં કાર્યોમાં જુઓ. આ જ અપરિગ્રહ છે; આ જ અહિંસા ધર્મની આધારશિલા છે; આ જ અધ્યાત્મની સંવેદનશીલતાનો સાર છે; આ જ જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિનો એક ચમકતો તારો છે.
Jain Education International
98
For Personal & Private Use Only
www.jainelibrary.org