________________
અપરિગ્રહ સંસ્કૃતિ
કીમતી પ્રદાન આપી શકે. આ માટે આવશ્યક છે અપરિગ્રહને એક સામાજિક સામૂહિક સંસ્કારના રૂપમાં વધારવાની અને નિભાવવાની. અપરિગ્રહ અહિંસા ધર્મનું “રડાર
અપરિગ્રહ વ્યક્તિ અથવા સમાજને ઊંચે જતા જીવનસ્તરના ઉપભોગથી વંચિત રાખવાની પ્રક્રિયા નથી. પરંતુ એવા સંસ્કાર છે જે જીવનને અનુશાસનયુક્ત અને ઉપભોગને સંયમિત અને સંતુલિત બનાવે છે. સંસારમાં સ્થાયી શાંતિ સુખ મેળવવા હોય, તનાવોને દૂર કરવા હોય તો મનુષ્યએ દરેક વસ્તુ હાથ કરી લેવાની કે સંગ્રહ કરવાની આદત અને લોભને ભુલાવવાં પડશે.
અપરિગ્રહ આ યુગને માટે સંયમ પ્રેરિત સમતાભાવથી ભરેલી સામાજિક ક્રાંતિનો સૂત્રધાર બની શકે છે. એક વિચારકે કહ્યું છે : “અપરિગ્રહ અહિંસા ધર્મનું રડાર' (દિશાદર્શક) છે જે મનુષ્ય તોડી નાખ્યું છે. જેને મળ્યું છે એ પણ સંગ્રહમાં લાગ્યો છે અને જેની પાસે નથી તે પણ એ જ કરે છે. ધન અને વસ્તુની પુષ્કળતાને આપણે સહુથી વધુ પ્રતિષ્ઠા આપી છે.” એક સકારાત્મક ગુણ :
મનુષ્ય સંગ્રહની લાલચ પર જરૂરિયાત પૂરી થયા પછી લગામ રાખવી પડશે. જેનાથી પ્રકૃતિ અને પ્રાણીજગતનું સ્વાર્થભર્યું શોષણ ન થાય કે માનવનું માનવ દ્વારા શોષણ ન થાય. પરિગ્રહની પશુતાને જડમૂળથી ઉખેડવી તે જ અપરિગ્રહ છે. અપરિગ્રહ એક ઉદારતાભર્યો સકારાત્મક ગુણ છે. અનૈતિક મિથ્યાતત્ત્વની જાળમાંથી આપણે બહાર નીકળવું જ પડશે. વસ્તુત: અપરિગ્રહનું મૂળ સમાધાન તથા સંતોષમાં છે અને વ્યક્તિ અને સમાજ બંનેએ પ્રગતિ અને ઉન્નતિના રસ્તાને છોડ્યા સિવાય, એને અપનાવવો પડશે અને એનો અભ્યાસ કરવો પડશે.
આડંબરનો કે ઉપરછલ્લો અપરિગ્રહ જૈન ધર્મનો માર્ગ નથી. અપરિગ્રહ ટુકડાઓમાં નહીં ચાલે, એની સંપૂર્ણ સંસ્કૃતિનો વિકાસ કરવો પડશે; જેનાથી તે એક સમગ્ર ધર્મના રૂપમાં પ્રગટ થઈને માનવસમાજને સાચી દિશામાં લઈ જાય. મનુષ્યનું સમગ્ર જીવન બાહ્ય અને આંતરિક રીતે બદલવા માટે અપરિગ્રહ સંસ્કૃતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org