________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
સંસારની ઊપજનો ૮૦ ટકાથી વધુ હિસ્સો ઝડપી લીધો છે. વિકાસશીલ અને અવિકસિત દેશોમાં કરોડો લોકોને દરરોજ પૂરતો અને પોષક ખોરાક અને આશ્રય માટે છત-ઘરનું છાપરું મળતું નથી. બીમારી, ભૂખમરો, દુકાળ, પૂર અને માનવીય શોષણ નિર્ધન વર્ગને નિરાંત લેવા દેતાં નથી અને દર વર્ષે અસંખ્ય વ્યક્તિઓ મોતના મોંમાં આવી જાય છે.
યૂનેસ્કોના ડાયરેક્ટર જનરલ ફેડેરિયો મેયરે યોગ્ય જ કહ્યું છે :
“આખા સંસારની વસ્તીને ઉત્તર અમેરિકાના ઉપભોગ સ્તરે પહોંચાડવા માટે ત્રણ પૃથ્વી જેટલાં સંસાધનોની જરૂર પડે.”
એક તરફ અત્યંત આધુનિક અને વિનાશકારી હથિયારો અને યુદ્ધસામગ્રી માટે દર વર્ષે ૮૦,૦૦૦ કરોડ ડૉલરથી વધુ ખર્ચ કરવામાં આવે છે. જ્યારે સંસારના મોટાભાગના અવિકસિત પ્રદેશોમાં પીવાના પાણીની તંગી છે, પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓ નથી કે આરોગ્ય માટે ડૉક્ટર કે હૉસ્પિટલો નથી.
આપણા દેશ અને સમાજ તરફ જ નજર કરો. રોજબરોજના જીવનમાં ખાવા-પીવામાં, પહેરવેશ કે સાજ-શણગારમાં બિનજરૂરી આડંબરની આદત કે ફેશન કેટલી વધી ગઈ છે ! વિવાહ અને બીજા એવા પ્રસંગોએ થતા મોટા ભોજનસમારંભોમાં આપણે કેટલું બધું એઠું ખાવાનું કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ, જ્યારે આપણા જ પડોસમાં અનેક પરિવારો એક-એક રોટી માટે તરસે છે. વાસ્તવમાં જોઈએ તો “આડંબર'નો પરિગ્રહ આપણા સમાજમાં કેન્સરના રોગની જેમ ફેલાઈ ગયો છે અને એમાં સંસાધનોની બરબાદી અને દુર્ભય આપણે હાથેથી જ કરી રહ્યા છીએ. પુણ્ય માત્ર મંદિરમાં પૂજા કરવાથી ભેગું નથી થતું. જૈન ધર્મમાં રોજબરોજના જીવનમાં વિવેક, સંયમ અને અપરિગ્રહને એટલા માટે સર્વોપરિ સ્થાન આપવામાં આવ્યું છે. આત્મશુદ્ધિ માત્ર જાપથી નહિ, જીવનશૈલીમાં નૈતિકતા અને સંયમ લાવવાથી પ્રાપ્ત થઈ શકે છે.
તેથી ૨૧મી શતાબ્દીમાં આપણે અપરિગ્રહને એક સામાજિક જવાબદારી અને પડકારના રૂપમાં જોવો પડશે. અપરિગ્રહથી વ્યક્તિનું આત્મકલ્યાણ તો થાય છે જ, પરંતુ સાથે સાથે અપરિગ્રહ સંસ્કૃતિ સામાજિક કલ્યાણ અને પ્રગતિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org