________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
કરનાર ત્યાગ કરતી વખતે આનંદનો અનુભવ કરે; પીડા, દુ:ખ કે કસક ન અનુભવે ત્યારે તે આસાન બની જાય છે.
પરિગ્રહના ત્યાગ પર વધુ ભાર આપવાના કારણે સમાજની સામાન્ય ધારણામાં જૈન ધર્મ સમજવામાં કઠણ અને પીડાદાયક ધર્મ માનવામાં આવે છે. પરંતુ જો જૈન ધર્મના અપરિગ્રહ અનુશાસનનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ તો આપણું જીવન વધુ સંતુલિત, નિયંત્રિત અને વ્યવસ્થિત થઈ જાય છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અનુભવ :
અમેરિકામાં એક અમેરિકન મહિલા સુશ્રી બેરિલનો જૈન ધર્મ સાથે સંપર્ક થયો ત્યારે એને લાગ્યું કે તેણે ધીરે-ધીરે પણ ઇચ્છાઓના નિયંત્રણની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એણે શાંતિથી આત્મચિંતન કર્યું ત્યારે એને લાગ્યું કે એના ઘરમાં બધા જ રૂમોમાં (ઓરડાઓમાં) ટી.વી. છે પરંતુ તે માત્ર એક બેઠકરૂમના ટી.વી.નો જ ઉપયોગ કરે છે. એણે એક ટી.વી. રાખ્યું અને જેમની પાસે એક પણ ટેલિવિઝન નહોતું તેમને ત્રણ ટેલિવિઝન વહેંચી આપ્યાં. એમની પાસે અનેક આકર્ષક પહેરવેશ હતા જેમાંથી કેટલાક તો તે ભૂલી પણ ગઈ હતી કારણ કે કબાટમાં લટકાવ્યા પછી એક અથવા બે વાર ઉપયોગમાં લીધા પછી તે એમના એમ જ પડ્યા રહ્યા હતા. એણે કેટલાંય વસ્ત્રો વહેંચી દીધાં. પોતાનાં ઘરેણાં અને જમીન વેચીને દેવું ચૂકવી દીધું. પછી તેમણે ભોજન ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દીધું. પહેલાં માંસભક્ષણનો ત્યાગ કર્યો પછી ધીરે ધીરે માછલી-સેવન છોડી દીધું. એને લાગ્યું કે ફળ, શાકભાજીથી ભોજન વધુ સાત્ત્વિક અને શાંતિપ્રદ બની ગયું છે. આ મહિલાએ માત્ર જૈન ધર્મના મર્મને જાણ્યો જ નહીં પરંતુ આત્મસાત્ કરી લીધો. ભલે તે ક્યારેય જૈન મંદિર (દેરાસર) ગઈ ન હોય પરંતુ તે એક સારી જૈન બની ગઈ. એણે પોતાના મિત્રને એક પત્રમાં પોતાના ઉદ્ગારો લખ્યા :
“I do not want things, I want freedom from Karma; No clinging, No heaviness, No desire, no demands, no frustrations.”
(મારે વસ્તુઓની જરૂર નથી; મારે કર્મબંધન તોડવું છે; હવે વધુ આસક્તિ
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org