________________
અપરિગ્રહ સંસ્કૃતિ
અપરિગ્રહી વ્યક્તિમાં આત્મશાંતિ, આત્મશક્તિ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની માત્રા ઊંચા સ્તરે પહોંચી જાય છે અને તે જીવનમાં આવતાં શારીરિક અથવા માનસિક સંકટો અને વ્યાકુળતાઓનો સામનો શાંતિ, મધ્યસ્થતા, સૌમ્યતા અને વૈર્યથી કરી શકવા માટે સમર્થ હોય છે. કબીરે આ સંદર્ભમાં સાચી દિશામાં માર્ગ બતાવ્યો છે :
"सांई इतना दीजिए, जामें कुटुंब समाये ।
મૈ ભી મૂત્રા ર, સાધુ મી મૂત્રા ર ગાયે !” ધર્મશાસ્ત્રોમાં અપરિગ્રહની તરફ આગળ વધવા માટે દુર્બસનોનો ત્યાગ કરવો એ મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. દુર્વ્યસનોમાં (૧) માંસાહાર, (૨) મદિરાપાન, (૩) શિકાર, (૪) ચોરી, (૫) પરસ્ત્રીભોગ, () વેશ્યાગમન અને (૭) જુગારનો ઉલ્લેખ આવે છે. ખરાબ આદતો મફતમાં પરિગ્રહની જાળ વધારી દે છે અને પાપ-કર્મોને વધારવામાં સહાયક થાય છે. પરિગ્રહની માનસિકતા :
પરિગ્રહથી માનવી એટલો ટેવાઈ જાય છે કે એ એક આદત બની જાય છે. ભોગ અને સંગ્રહપ્રવૃત્તિ પરિગ્રહનો ભંડાર વધારે છે. આપણી પાસે સઘળું હોવું જોઈએ એ ભાવના સર્વોપરિ થઈ જાય છે, ભલે પછી આપણને એ વસ્તુઓની જરૂર ન હોય. પરિગ્રહને છોડવો એટલે મનથી મોહ, માયા, લાલચ અને પૂંજી – માલમિલકતની મમત્વ-પ્રવૃત્તિને હટાવી દેવી. જૈન ધર્મ કહે છે કે પરિગ્રહ છોડવો જરૂરી છે પરંતુ એના માટે મનોબળથી સંકલ્પ કરવો ખૂબ મુશ્કેલ છે. એ મુશ્કેલીઓનો સામનો કરીને ઇચ્છાઓ પર જો આપણે કાબૂ મેળવી લઈએ તો આત્મશાંતિની સાથે જ પરોપકાર તરફ એક નિર્ણાયક કદમ ઉઠાવી શકીશું. આનંદ, ઇચ્છાશક્તિ અને સંકલ્પથી જ પરિગ્રહ-ત્યાગ :
જૈન ધર્મમાં અપરિગ્રહની તરફ મનુષ્ય સફળતાથી ત્યારે આગળ વધી શકે છે જ્યારે આપણે સ્વેચ્છા, હર્ષ અને સંકલ્પથી પોતાની માંગણીઓ અને ઇચ્છાઓ પર નિયંત્રણ મૂકીએ અને કોઈ પ્રકારનો ખેદ મનમાં ન લાવીએ. ગૃહસ્થોને માટે અણુવ્રત તેમજ મુનિઓને માટે મહાવ્રત એ કઠિન વ્રત છે પરંતુ તેનો પાલન
91
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org