________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
પરિગ્રહ છોડવાથી સામાન્ય સુખ-સુવિધાઓથી વંચિત નથી થઈ જવાતું. જો અપરિગ્રહનું આ વ્યાવહારિક રૂ૫ સમાજમાં આવી જાય, તો પરિગ્રહનો ક્રમશ: ત્યાગ આસાન થઈ જાય છે.
પરિગ્રહથી છુટકારો મેળવવા માટે ધર્મશાસ્ત્રોમાં દાનની મહત્તાનો ઉલ્લેખ છે. દાન કૃપા કરવાની કે યશ કમાવવાની દૃષ્ટિથી આપવામાં આવે તો તે પરિગ્રહ જ રહેશે કારણ કે એમાં અહમ્ અને અહંકારનો અંશ છે. દાન આપનારાના હૃદયમાં શ્રદ્ધા, વિનમ્રતા, સંતોષ, સેવા, નિર્લોભપણું અને પીડિત લોકોને માટે કરુણા હોય તો દાન સાર્થક થાય છે અને જીવનમાં અપરિગ્રહની ગુણવત્તા વધે છે. દાનના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે : (૧) આહાર દાન, (૨) ઔષધિ દાન, (૩) જ્ઞાન દાન અને (૪) અભય દાન. તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે :
“અનુદીર્થ સ્થાતિ વાનમ રૂટ
विधि द्रव्य दातृ पात्र विशेषान्तद्विशेष ।।३९ ।।" અર્થાતુ પોતાના અને બીજાના ભલા માટે સ્વાર્થ કે ફળની અપેક્ષા વિના ત્યાગ કરવો એ દાન છે. આવા દાનમાં દ્રવ્ય, દાતા, પાત્ર અને વિધિની વિશેષતાથી વિશેષ ફળ મળે છે.
ગાંધીજીએ પોતાના ટ્રસ્ટીશીપ સિદ્ધાંતથી દાન અને અપરિગ્રહની કડીને મજબૂત કરી દીધી. એમણે ધનવાનોને કહ્યું તમે સમગ્ર સમાજના હિત માટે કે તમારી પાસેની જરૂરિયાતથી વધારાની મિલકતના ટ્રસ્ટી બની રહો. એ મિલકત માટેનું મમત્વ છોડી દો અને એને પરોપકારનાં કાર્યોમાં વાપરો.
દાન અને દાનશીલતા પુણ્યકાર્ય માનવામાં આવ્યાં છે. પણ એ ત્યારે કે આપણે એને બીજાના પર કરવામાં આવેલી મહેરબાનીના રૂપમાં ન જોઈએ કે મૂલવીએ. આપણી દાનશીલતા અને સ્વયંની ઉપભોગ પ્રવૃત્તિમાં સંયમ અને નિયંત્રણની માત્રા સાથે જેનો મેળ ખાય, તે દાન સાચું. પોતાના અનિયંત્રિત ઉપભોગ પર વ્યાજબી નિયંત્રણ મૂક્યા સિવાય દાન આપનારા લોકોનું ભલું ભલે કરે, એનો ગુણ દાન દેનારના જીવનને અસર નહીં કરે.
90
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org