________________
અપરિગ્રહ સંસ્કૃતિ જૈન ધર્મમાં ઉપવાસનું વ્રત માત્ર સાધુઓ માટે નથી, ગૃહસ્થો માટે પણ છે. વિશેષતઃ ચાતુર્માસમાં ગૃહસ્થ પણ સામાન્ય રીતે ૧ દિવસ, ૨ દિવસ, ૩ દિવસ, ૮ દિવસથી લઈને એક મહિનાથી વધુ દિવસ સુધીના ઉપવાસો કરે છે. આનાથી શરીર અને મન બંને નિર્મલ, વિમલ, પરિગ્રહ-રહિત થઈ જાય છે. હાલમાં સપ્ટેમ્બર ૨૦૦૨માં “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં છપાયેલી એક ખબર અનુસાર અમદાવાદ (ગુજરાત)માં એક ૧૪ વર્ષના જૈન એન્જિનિયર સજ્જને અન્નરહિત ૪૧૧ દિવસના ઉપવાસ કર્યા અને તેઓ માત્ર ઉકાળેલા પાણી અને સુરજનાં કિરણો પર જીવિત રહ્યા. એમના ઉદાહરણને જોઈને અમેરિકામાં સંશોધન થવા લાગ્યું છે કે કઈ રીતે ખાધા સિવાય લાંબા સમય સુધી જીવી શકાય છે. મન અને શરીરમાં ક્યા પ્રકારનું નવું સંતુલન ઉપવાસના માધ્યમથી સ્થાપિત કરી શકાય છે?
નિયમિત સામાયિકથી પણ માનસિક સંતુલન સકારાત્મક અને નિરાસક્ત થવા લાગે છે. એના માધ્યમથી શરીર અને આત્મા બંને પર અનુશાસન વધે છે, આત્મ-તૃપ્તિનો અહેસાસ થવા લાગે છે અને પરમ શાંતિની અનુભૂતિ થવા લાગે છે. વ્રત-ઉપવાસ સિવાય રાત્રિભોજન ત્યાગ, ખાદ્ય, પીણાં અથવા ઉપભોગ્ય પદાર્થનો ત્યાગ થોડા સમય માટે અથવા કાયમ માટે પણ કરવામાં આવે છે.
બે ઘડી (૪૮ મિનિટ), ચાર અથવા છ ઘડી એમ દિવસમાં ત્રણ વાર ચિન્મય બનીને નિશ્ચલ અવસ્થામાં કરેલા આત્મધ્યાનને સામાયિક કહેવાય છે અને આ મનની ચંચળતા અને વ્યર્થની હલચલને નિયંત્રણમાં લાવીને અપરિગ્રહી બનવાની માનસિક અને આધ્યાત્મિક તૈયારીનો નિર્દેશ કરે છે.
દાનનું મહત્ત્વઃ દાન, પરોપકાર પણ અપરિગ્રહ તરફ જવામાં સહાયક બને છે. કેટલાય જેનો આખા જીવન માટે કેટલાય પદાર્થ સ્વેચ્છાએ છોડી દે છે જેમકે ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો, કાંદા, બટાકા, કંદમૂળનો હંમેશને માટે ત્યાગ કરવો, આજીવન રાત્રિભોજન ન કરવું, કપડાંની અમુક જ જોડ રાખવી વગેરે. કેટલાંક દાનશીલ ધનિકો અને ઊંચી આવક ધરાવનારાઓ નિયમ કરે કે આવકનો કેટલોક હિસ્સો એમના પોતાના માટે અને પરિવારના ઉપભોગ માટે જરૂરી છે, અને એના ઉપરની આવકનું તેઓ દાન કરે છે. અપરિગ્રહનો સિદ્ધાંત કહે છે કે જેટલું આપશો એટલું વધુ મળશે અને આ ક્રમ ચાલતો રહેશે. અર્થાત્
89.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org