________________
અપરિગ્રહ સંસ્કૃતિ
કે આવી મહાન વ્યક્તિ મારા-તમારા જેવું જીવન લઈને ધરતી પર આવી હતી.” ગાંધીજીએ મમતાને ત્યજી દીધી અને તૃષ્ણા પર અંકુશ મૂક્યો. અપરિગ્રહની તરફ કઈ રીતે આગળ વધવું ?
આસક્તિ અને મોહ ત્યાગીને અનાસક્તિ તરફ જવા માટે જૈન પુરાણોમાં અનેક સ્થળોએ રસ્તો બતાવવામાં આવ્યો છે અને અપરિગ્રહી બનવાને માટે ઇચ્છાશક્તિ અને મનોબળ વધારવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. નિગ્રંથ મુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીને ખૂબ સુંદર રીતે સમજાવ્યું :
"सव्व विलवियं गीयं सव् नर्से विडिविय,
સર્વે મમરા મારા, સર્વે વામ કુટીવ (અર્થાત્ આ બધાં ગીત વિલાપ છે, બધાં નાટક વિડંબના છે; બધાં આભૂષણ ભારરૂપ છે; બધાં કામભોગ દુઃખોને આમંત્રણ કરવાવાળા છે.)
જ્યારે આપણને નીચેનાં ધર્મ-સત્યો સમજાઈ જાય ત્યારે...
(૧) વાસ્તવિક સુખ, તૃપ્તિ અને શાંતિ તો આત્માની અંદર છે – બહારથી મેળવી શકાતી નથી. જે બહારથી મેળવાય છે તે તો માયા છે.
(૨) જીવનમાં ભૌતિક સુખ-સુવિધાનો સરંજામ ઉપયોગ માટે છે, મમત્વ પેદા કરીને એની અનિયંત્રિત સંગ્રહ કરવા માટે નહીં. જે કંઈ પણ આ સંસારમાં છે એનું સ્વામિત્વ અંતે તો પ્રકૃતિનું છે – મારું-તમારું નહીં.
(૩) દરેક મનુષ્યમાં પ્રદત્ત ઊર્જા, શક્તિ, પ્રતિભા, ગુણસંપદા અને નેતૃત્વના ગુણતત્ત્વો રહે છે, જે બાહ્ય સામગ્રી અથવા સંપત્તિના હોવા યા ન હોવા પર આધાર રાખતા નથી. રસ્તાની સ્ટ્રીટલાઇટની નીચે ભણનારા નિર્ધન પરિવારના લાલ બહાદુર શાસ્ત્રી પોતાના ગુણો અને યોગ્યતાની શક્તિથી ભારતના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચી ગયા. એવાં કેટલાંય ઉદાહરણ દરેક દેશના ઇતિહાસમાં જોવા મળે છે.
(૪) જૈન ધર્મ સમજાવે છે કે ક્રોધ, ઈર્ષા, અહંકાર, માયા, લોભ, દગાબાજી, આસક્તિના ભાવ અંતરાત્માના નથી પરંતુ પેદા થતા બાહ્ય પદાર્થોના આકર્ષણ અને મોહને કારણે આવી જાય છે. આ દુર્ગુણોને દૂર કરી શકાય છે, માત્ર સ્વૈચ્છિક અનુશાસન, સ્વનિયંત્રણ અને સંયમથી.
87
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org