________________
અહિંસા સંસ્કૃતિ
ભાઈચારાના સંદેશને સફળતાપૂર્વક પ્રસારિત કર્યો હતો. રાજ્ય સરકારને કોમી તોફાનોની દહેશત હતી, પરંતુ એમના દ્વારા નીકળેલી શાંતિયાત્રામાં
બધા સંપ્રદાયો સામેલ થયા અને કોમી ભાઈચારો જળવાઈ રહ્યો. અહિંસાનું પ્રશિક્ષણ :
સરમુખત્યારોના નિરંકુશ શાસનમાં દમનનું મુખ્ય શસ્ત્ર હિંસા છે અને દયા, કરુણા બાજુમાં હડસેલાઈ જાય છે; જ્યારે લોકશાહી વ્યવસ્થામાં જો હિંસા, હત્યા, ખૂનખરાબા અને બોમ્બવિસ્ફોટ અવારનવાર થયા કરે, તો એવું લાગે છે કે જનતાને અહિંસાનું શિક્ષણ નથી મળ્યું. એથી હિંસાના સંસ્કાર વધતા જાય છે. જૈન ધર્મમાં અહિંસાનું મહાભ્ય એ છે કે તે અહિંસાનાં અનુશાસન, પાલન અને સંસ્કારને મનુષ્યમાં સ્વેચ્છાએ પ્રગટાવે છે અને એને શીખવે છે કે અહિંસાધર્મનું આત્મકલ્યાણ જેટલું જ ઉત્તરદાયિત્વ સામાજિક છે. અહિંસાધર્મને જીવનવિજ્ઞાન (Science of living)ના રૂપમાં સ્કૂલો, કૉલેજો તથા પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો અને લશ્કરમાં શીખવવાથી મનોબળ, શરીરબળ અને ઇચ્છાબળ વધશે. તેઓ અહિંસાપાઠથી કાયર નહીં, પરંતુ વધારે સંકલ્પી બની શકશે. અહિંસાના વ્યવસ્થિત પ્રશિક્ષણ તરફ માત્ર રાષ્ટ્રીય સરકાર નહીં, પરંતુ UNESCO જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ગંભીરતાપૂર્વક પહેલ કરવી જોઈએ. આ ક્ષેત્રમાં જૈન અણુવ્રત આંદોલને દેશવિદેશમાં બહુમૂલ્ય કાર્યનો પ્રારંભ કર્યો છે અને એનાં ઘણાં પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જગતમાં વધતા જતા હિંસાના પ્રચાર અને અસંયમને જોતાં આ પગલું સાગરમાં એક બુંદ સમાન છે. પરંતુ એની શરૂઆત થઈ છે અને વૈશ્વિક જૈન સમાજે એને નવા જીવનદર્શનના રૂપમાં ફેલાવવો જોઈએ.
83.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org