________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧
કોઈ ઓળખી ન શકે, કોઈ પિછાણી ન શકે. આકરું એમનું તપ છે. અડગ એમનું ધ્યાન છે. બાર બાર મહિના થયા. ત્રણસો સાઠ દિવસ ગયા તોય સાચું જ્ઞાન મળતું નથી. સાચી સિદ્ધિ સાંપડતી નથી.
ભગવાન ઋષભદેવને ખબર પડી કે બાહુબલી તપ કરે છે. બાર બાર મહિના થયા, ત્રણસો સાઠ દિવસ ગયા તોય જ્ઞાન થતું નથી. સાચું જ્ઞાન મળતું નથી. કારણ શું ?
૨૮
ભગવાને જાણ્યું કે બાહુબલીએ બધું છોડ્યું છે, પણ માન છોડ્યું નથી. જ્ઞાન તો વિનયીને મળે, સિદ્ધિ વિવેકીને સાંપડે. માન જો દૂર થાય તો જ સાચું જ્ઞાન થાય.
ભગવાન પાસે બે સાધ્વીઓ. શી તેમની તપસ્યા ? શું તેમનું જ્ઞાન ! મોટા પંડિતોને હરાવે. એકનું નામ બ્રાહ્મી. બીજીનું નામ સુંદરી. બાહુબલીની તે બહેનો થાય.
ભગવાન કહે, ‘સાધ્વીઓ ! અહીંથી જાવ વનવગડે બાહુબલીની પાસે. તેને તમે સમજાવો. તેનું માન મુકાવો. તેનું તપ નિષ્ફળ જાય છે.’
સાધ્વીઓ કહે, જેવી પ્રભુની આજ્ઞા.'
બ્રાહ્મી-સુંદરી ચાલી. આવી બાહુબલી પાસે. મુનિનો સંયમ જોયો. તેમને થયો ભક્તિભાવ. કેવા આકરાં તપ ! પ્રેમપૂર્વક વંદન કર્યું. ધીમે રહીને કહ્યું: ‘હે મારા વીરા, હાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org