________________
ભરત–બાહુબલી
પરથી હેઠા ઊતરો. જે જોઈએ તે મળશે.' આટલું કહી સાધ્વીઓ ચાલી ગઈ.
બાહુબલીને વિચાર થયો. અહીંયાં નથી હાથી કે નથી હાથણી. બેસવાનું હોય જ ક્યાંથી ? ભૂમિ ઉપર ઊભો છું. ઊભો ઊભો તપ કરું છું, પણ બહેનો જૂઠું બોલે નહીં. જૂઠું બોલી છેતરે નહીં. તો ‘હાથી પરથી હેઠા ઊતરો' એનો અર્થ શો?
:
ખૂબ ખૂબ ઊંડા ઊતર્યા. ખૂબ ખૂબ વિચાર કર્યો, એટલે કાંઈક સમજાયું.“ માનરૂપી હાથી છે. ઉપર હું બેઠો છું. માની ના થાય જ્ઞાની. સાધ્વીનું કહેવું સાચું છે. ચાલ ત્યારે ભાઈઓ પાસે જાઉં. તેમનાં દર્શન કરું ને તેમની માફી માગું .”
૨૯
માન ગળી ગયું છે. ચાલવા પગ ઉપાડે છે એટલે થયું કેવળજ્ઞાન એટલે થયું સાચું જ્ઞાન.
આ બાજુ ભરત રાજા સારી રીતે રાજ્ય કરે છે. પ્રજાનાં દુ:ખ કાપે છે. પ્રભુનાં દર્શને જાય છે. તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મધ્યાન કરે છે.
ભરત તો ચક્રવર્તી. એમના નામથી આ ભૂમિ ભરતભૂમિ કહેવાઈ. એમની સાહ્યબીનો પાર નહીં. હીરા-મોતીનો થાગ નહીં. ધનના ઢગલા ને રત્નના ભંડાર. હજારો રાજાઓ એની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org