________________
ભરત–બાહુબલી
બાહુબલીના પુત્રને તક્ષશિલાની ગાદી આપી. ભરત ગયો અયોધ્યા.
બાહુબલીને વિચાર થયોઃ ભગવાન ઋષભદેવની પાસે જાઉં. તેમની ચરણસેવા કરું, તેમના પગમાં માથું મૂકું, પ્રભુ મને ઉદ્ધારશે. ફરી પાછો વિચાર આવ્યો. હમણાં જવું ઠીક નથી. મારા નાના ભાઈઓ ત્યાં છે. તે તો ખૂબ જ્ઞાની છે. વળી તેઓ મારાથી પહેલાં ત્યાગી બન્યા છે, એટલે મારે વંદનીય છે. હું મોટો, નાનાને કેમ નમું ? ના, ના, અહીં રહીશું ને તપ કરીશું.
બાહુબલીએ ઘોર તપ આરંભ્યાં.
શરીર સુકાઈ ગયું છે, માથે જટા વધી છે. ચારે ગમ ઘાસ ઊગ્યું છે. માટીના તો ડુંગરા થયા છે. વગડાનાં પશુપંખીઓ આવે છે ને તેમને હેરાન કરે છે પણ બાહુબલી નથી હાલતા કે નથી ચાલતા. મૂંગા મૂંગા ધ્યાન કરે છે, સઘળાં દુઃખ સહન કરે છે, ન ખાવું કે ન પીવું.
એમનો તો નિશ્ચય અટલ છે.
હાથી જેવી કાયા થોડા દિવસમાં ગળી ગઈ. ભમરા જેવી આંખો, એમાં ઊંડા ખાડા પડ્યા. ભીમ જેવું શરીર, તે હાડકાંનો માળો થઈ ગયું, ચંદ્ર જેવું રૂપ પાણી પેઠે ઊડી ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org