________________
૨૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૩
તેણે કહ્યું: “કૃપાળુ ! આપનાં દર્શનની આશાએ આજ સુધી જીવી છું. બાર બાર વરસનાં તપ આજે ફળ્યાં. ઘણી મહેનત આપ ફરીથી મળ્યા. શું હવે આપ મને છોડીને જશો ! જો આપ જશો તો હું આપઘાત કરીશ.'
આદ્રમુનિ વિચારમાં પડી ગયા કેવું આશ્ચર્ય, કેવો નિર્મળ સ્નેહ ! બાર બાર વરસ મારા નામનો જપ કરતી આ બાળા બેસી રહી છે ! તેના અથાગ સ્નેહથી તેમનું હૃદય ખેંચાવા લાગ્યું. એવામાં શ્રીમતીના પિતા આવ્યા. તેણે બધી હકીકત જાણી એટલે મુનિને ખૂબ આગ્રહ કર્યો. આદ્રકુમારે વિચાર્યું : મારે ભોગ ભોગવવાના બાકી લાગે છે. નહીંતર આવો બનાવ ક્યાંથી બને ! આ શ્રીમતી એ જ મારી પૂર્વજન્મની પત્ની બંધુમતી !
આદ્રકુમાર ને શ્રીમતીનાં ઘડિયાં લગન લેવાયાં.
સુખના દિવસો ઝટ ઝટ સરી જાય છે.
શ્રીમતીને એક પુત્ર થયો છે. તે કાલુ કાલું બોલે છે. આદ્રકુમારે શ્રીમતીને કહ્યું: ‘પ્રિયા ! આ પુત્ર મોટો થયે તને મદદ કરશે. હું હવે દીક્ષા લઈશ.”
શ્રીમતીએ તેનો જવાબ ન આપ્યો, પણ પોતાના પુત્રને તે હકીકત જણાવવા રેંટિયો લઈને બેઠી. રૂની પૂણી લઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org