________________
ت
ن
.ن.ت.ث.
શ્રીમતી ઊંડા વિચામાં પડી. તેણે મનમાં નિશ્ચય કર્યો, પરણું તો આ મુનિને જ પરણું. - શ્રીમતી પરણવાને યોગ્ય થઈ છે. તેના માટે ઘણાં ઘણાં મામાં આવે છે. તેના પિતાએ શ્રીમતીને પૂછયું, “શ્રીમતી ! આમાંથી તને કોણ પસંદ છે ?”
શ્રીમતીએ જવાબ દીધો: “પિતાજી ! હું તો થોડા દિવસ પહેલાં અહીં આવેલા મુનિને મનથી વરી ચૂકી છું.'
આ સાંભળી તેના પિતાએ કહ્યું: “બેટા ! તને આવો વિચાર ક્યાંથી સૂઝયો?
શ્રીમતીએ કહ્યું : “પિતાજી! મેં જે વિચાર કર્યો છે તે બરાબર છે. એ મારા પરભવનો પ્રેમી લાગે છે. બીજી વાત ન બોલશો. મને દાનશાળા ખોલી દો, જેથી જતા-આવતા સાધુઓને જોઈ શકું.'
તેના પિતાએ કહ્યું: “અહીંયાં જે કોઈ મુનિ આવે તેને તારા હાથે જ દાન દેવું.' - શ્રીમતી હવે પોતાના હાથે જ મુનિઓને દાન આપે છે. એમ કરતાં બાર વરસ વીતી ગયાં.
આદ્રમુનિ ફરતાં ફરતાં વસંતપુર આવ્યા.
ફરતાં ફરતાં તેઓ શ્રીમતીને ઘેર આવ્યા. એટલે શ્રીમતીએ ઓળખ્યા. “મારા હૃદયના નાથ આ જ મુનિરાજ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org