SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ AM 996 , 8 A, Bh (૨૦, અજૈનનો ઉંચો ધર્મ બચુજી ઠાકોરે તેમના ધર્મપત્ની દેવુબા સાથે શ્રી શત્રુંજય, શંખેશ્વરજી આદિ ૧૪ જેટલા જૈન તીર્થોની યાત્રા ભક્તિથી કરી છે! કંદમૂળનો ત્યાગ કર્યો. અઠ્ઠાઇ તપ પર્યુષણમાં અને પાંચ તિથિ લીલોતરીનો ત્યાગ, રોજ ૩ નવકારવાળી, જુગાર, શિકાર આદિમોટા બધા વ્યસનોનો ત્યાગ, પાન, બીડી, મસાલાઓનો ત્યાગ, અંતરાયનું પાલન, નોકરીમાં અત્યંત પ્રમાણિકતા વગેરે. ઠાકોર જો આટલો ધર્મ કરતા હોય તો આપણે જૈનોએ તો કેટલો ધર્મ કરવો જોઇએ ? પૂજા, અભક્ષ્ય ત્યાગ વગેરે તો બધા જૈનોએ કરવો. જ જોઇએ. (૨૧. ડૉ. ખાનનું જૈનપણું પર્વાધિરાજ પર્યુષણમાં ૯૩માં ડૉકટર ખાનને ૧૬ ઉપવાસની ભાવના થઇ. એમને વિચાર આવ્યો કે જેનો માસખમણ કરે છે તો મારાથી ૧૬ ઉપવાસ કેમ ન થાય? ડૉકટરે સાબરમતી ઉપાશ્રયે મહારાજશ્રી ને વાત કરી. મહારાજ સાહેબે ઉપાશ્રયમાં જ ૧૬ દિવસ રહેવા આગ્રહ કર્યો. ડૉકટરે સ્વીકાર્યું. પાંચમે દિવસે પત્નીએ ઉપાશ્રય આવી કહયું. “આપણી જેનીફર ખૂબ બિમાર પડી ગઈ છે. હોસ્પિટલમાં દાખલ કરી છે....”ખાને કહયું. “હું ઘરે નહીં આવી શકું. તમે સારવાર કરાવો. ધર્મપ્રભાવે સારૂં થઇ જશે.” પત્ની પાછી ગઇ. આઠમે દિવસે આવી પત્નીએ કહ્યુ,” હમણાં જ સાથે ચાલો. જેનીફર સીરીયસ છે. સિવિલના વેંકટરોએ આશા છોડી દીધી છે.' ખાને દઢ બની પત્નીને કહ્યું, “તમે મારી કસોટી ન કરો. હુ મારી સાધના નહીં છોડું.”પત્ની ખૂબ રડી. ર્ડોકટર મક્કમ રહ્યા. છેવટે તે જતી રહી. મહારાજશ્રીને આ બધી વાત કોઇએ કરી. ડૉકટરને બોલાવી મ.શ્રી એ કહ્યું “તમને માત્ર ઉપવાસ કરાવ્યા છે. પૌષધ નહીં. તમે ઘેર જઇ શકો છો. વળી તમારી પુત્રી પણ સીરીયસ છે.” છતાં ખાન કહે, 5 5 . (૨૮) . . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy