SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તેનો નાશ કરે, ન હોય તેને બધાં સુખો આપે. આવા અદ્ભુત પ્રભાવવંતા દેવ, ગુરૂ, ધર્મને પામી છે જેનો ! તમે દુ:ખમાં ને સુખમાં ભક્તિ આદિ કરી સંપૂર્ણ સુખ પામો એ આશિષ. ૧૯. જૈનપણું સદા સાચવો વડોદરામાં અલકાપુરીમાં રહેતી એક જૈન કન્યાએ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા. પણ શરત કરેલી કે હું મારો જૈન ધર્મ પાળીશ. યુવતીને નિયમ કે વાપરતા પહેલાં દર્શન કરવા. નિયમ પાળતી. પણ સાસરિયાઓની નારાજગી અને ઘરના કામમાં દર્શન કરવામાં મુશ્કેલી પડતી. આ જોઈ પટેલ પતિએ શ્રી મહાવીરસ્વામી ભગવાન ઘરે પધરાવ્યા ! વ્હનને નિયમ પાળવામાં ઘણી સુવિધા થવાથી ખુશ ખુશ થઇ ગયા. નિયમ સારી રીતે પાળતા. હવે તો રોજ પૂજા કરવા મળી ! ખૂબ ભાવથી પૂજા કરે છે ! ધર્મ પ્રભાવે મધ્યમ સ્થિતિવાળા સાસરે પૈસો વધવા માંડયો. થોડા વખતમાં કરોડપતિ થઇગયા!પટેલ સાસરિયાઓ પણ આશ્ચર્યથી ધર્મ શ્રધ્ધાળુ બની ગયાં ! પહેલાં મના કરતાં તેનો ખૂબ પ્રશ્ચાતાપ થયો. તેઓ પણ જૈન ધર્મ પાળવા લાગ્યા! અને ધર્મમાં ધન વાપરવા લાગ્યા! અલકાપુરીમાં શ્રી સંઘે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું દહેરાસર બંધાવ્યું તેમાં શ્રી મૂળનાયક ભગવાનની તેમના પતિએ રૂા. ૭લાખની ઉછામણી બોલી પ્રતિષ્ઠા કરી! બીજા પણ ધર્મકાર્યોમાં ધણાં રૂપિયાનો સવ્યય કરે છે. હે જેનો ! આ પ્રસંગમાંથી હિતની ૨ વાતો ધ્યાનમાં રાખજો. યુવતિ પર-નાતમાં પરણી તો પણ સ્વધર્મમાં દઢ રહી. તમારો તો પૂરો પરિવાર જેન છે. તમારે યથાશક્તિ પૂજા વગેરે બધો ધર્મ કરવો જ જોઇએ. બીજું, પટેલ પતિ પણ જો પત્નીને રાજી રાખવા પ્રભુને ઘરે પધરાવે છે ! તો તમારે પણ નક્કી કરવું જોઇએ કે જૈન શ્રાવક તરીકે મારે સકલ પરિવારને બધો ધર્મ કરવાની સગવડતા અનુકૂળતા કરી આપવી. ఉడీడీటీడీ 0 దీదీదీదీదీ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy