SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 6 કે તે 99 ) [ , 9 J, જે છે આ શિક્ષિકા જણાવે છે કે શનિ, રવિ રાત્રિ ભોજન ત્યાગ, નોકરી જતાં આવતા શ્રી નવકારનો જાપ, ધાર્મિક પુસ્તકોનું વાંચન વગેરે આરાધના કરવાની હૈયાની ઇચ્છા છે. હે આરાધકો ! ધર્મ ભાવનામાં વિઘ્ન આવે તો હતાશ થયા વિના સાચા દિલથી પ્રભુને પ્રાર્થના કરવી કે મારી આ ભાવના પૂર્ણ કરજો. પ્રભુ-પ્રાર્થનાનો ચમત્કાર અદ્ભુત છે! ધર્મની ઇચ્છા સારી રીતે સફળ કરાવશે ! (૧૮. પાર્શ્વનાથે ક્ષણમાં નિરોગી કર્યા !) વડોદરાના ગીરધરભાઇ. ઉંમર ૮૪ વર્ષની. અચાનક પેટમાં ભયંકર દુ:ખાવો થયો. ડૉકટરને બતાવ્યું (પહેલાં ઓપરેશન કરાવેલું છતાં) ડૉકટર કહે, “ઓપરેશન કરાવવું પડશે . ખર્ચ રૂા. ૫૦૦૦૦ થશે. કાલે બપોરે ૧ વાગે ઓપરેશન કરીશું.” દર્દ અસહ્ય હતું. સુપુત્ર રમેશભાઇને આ સાંભળી ખૂબ ચિંતા થઇ કે વૃધ્ધવયે અશકિતમાં ઓપરેશન સફળ થશે ? ટેન્શનમાં શંખેશ્વર દાદાના શરણે જવા નક્કી કર્યું. શ્રધ્ધા પણ ખૂબ જ. શંખેશ્વર દાદાના ફોટા સમક્ષ દીવો ને ધૂપ કરી બાળકની લાજ રાખજે' વગેરે પ્રાર્થના ખૂબા ભકિતભાવપૂર્વક કરી. નવકારવાળી ગણવા માંડી, મનમાં વિનંતી કરેલી કે ઓપરેશન ન કરવું પડે તો રૂા. ૨૧૦૦૦ શ્રી શંખેશ્વર તીર્થમાં વાપરીશ. બીજે દિવસે ડૉકટરો ભેગા થયા. તપાસ્યું. પણ શરીર બધું બરોબર હતું. વારંવાર તપાસ્યું. પણ કોઇ બિમારી જ ન હતી. ચકિત થઇ ગયા. રમેશભાઈ વગેરે બધાં પણ જાણી ખૂબ હર્ષિત થઇ ગયા. શંખેશ્વર જાત્રા કરી. કેસર-સુખડ, આંગી, આયંબિલ, ભોજનશાળા. સાધારણ વગેરેમાં રૂા. ૨૩૦૦૦ વાપર્યા ! પછી ૨ વર્ષ જીવ્યા. . શ્રધ્ધાથી શંખેશ્વરજી, શત્રુંજયજી આદિનું શરણું સ્વીકારી સાચી ભકિત કરનાર ઘણાં, આવા ચમત્કાર અનુભવે છે ! દુ:ખ ఓడీడీటీడీ 5 డీడీటీటీడీ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy