SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નક્કી કરે 99છો નું , છ , કે ૧૬. ધર્મ ઉમંગથી પગ દઈ - નાશ) હેમાબેન વડોદરાના છે. માતાએ ધર્મના ગાઢ સંસ્કાર આપેલા. તેમને જમણા પગે ઘણાં મહિનાથી ખૂબ દર્દ થતું હતું. ઉઠતા, ચાલતા, બેસતા તકલીફ ઘણી થાય. હેમાબેનને આ પર્યુષણમાં શ્રી કલ્પસૂત્ર લેવાની અંતરમાં ભાવના જાગી ! પણ બીજા ભાગ્યશાળીએ લાભ લીધો. છતાં ભાવના જોરદાર. તેથી પછી જન્મ વાંચન અવસરે ભગવાન પધરાવવાનો ચડાવો લીધો! ભગવાનને વાજતે ગાજતે ઘરે લઇ ગયા. હૈયામાં હર્ષનો પાર નથી. રાત્રિ જગો કર્યો. સકલ સંઘ સાથે પ્રભુના ગુણગાન ગાતાં ભાવ નિર્મળ થઇ ગયો. કર્મ ખપી ગયા ને પગ દઈ ત્યારે જ ગાયબ થઇ ગયું ! આ સ્વાનુભવથી હેમાબેન અને સગાઓની ધર્મ પરની શ્રધ્ધા અનેકગણી વધી ગઇ! ભગવાનને ઘરે પધરાવો તો આટલો બધો લાભ થાય. તો તમે વિચારો કે આવા અત્યંત પવિત્ર એવા પરમાત્માને અંતરમાં પધરાવો તો તમે ખુદ પ્રભુ બની જાવ એ શાસ્ત્રવચનમાં શ્રધ્ધા કોને ન થાય ? ' ૧૭. પ્રાર્થનાનો પ્રભાવ પર્યુષણ પર્વાધિરાજમાં નીલેશ્વરી વ્હનની અંતરની ભાવના પૂજા, પ્રવચન, વંદન આદિ આરાધના આઠે દિવસ કરવાની હતી. પરંતુ શિક્ષિકાની નોકરી હોવાથી નોકરીમાંથી રજા મળવામાં મુશ્કેલી હતી. પહેલા પણ કારણે રજા મૂકે તો ખૂબ તકલીફ પડતી. તેથી પરમાત્માને પ્રાર્થના કરી કે, દેવાધિદેવ! રજા મંજૂર કરાવજો.’ અને આ શ્રાવિકા તો ભગવાનની કૃપા જોઈ ચકિત થઇ ગઇ. રજા પાસ થઇ. શ્રાવિકાએ તો પૂજા વગેરે ઉપરાંત સાંજે પણ દર્શન, રાત્રે ચોવિહાર, પોતાના બાળકને ય આઠે દિવસ પૂજા વગેરે કરાવી ઉત્સાહ, ઉમંગપૂર્વક બધી દિલની ભાવના સંપૂર્ણ કરી ! ધાર્મિક ભાવનાવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy