SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ##.. 000, ૧૧. પ્રથમ આયંબિલનો ચમત્કાર પાલનપુરના એ વતની હાલ સુરતમાં રહે છે. એમનું નામ ગિરીશભાઇ . એમને હોટલમાં ખાવાનું, રાત્રે ખાવાનું એકદમ સામાન્ય. કોઇ થાળી ધોઇને પીતા હોય કે આયંબિલનું ભોજન જમતાં હોય તો પણ તેમને ઉબકા આવે. એક વખત પોતાના બહેન - બનેવી અને પત્ની સાથે હોટલમાં તેઓ મઝેથી ખાતા હતા અને પત્નીએ એક આયંબિલ કરવાનું દબાણ કર્યુ. બહેન - બનેવીએ આ વાતને ટેકો આપ્યો. ગિરીશભાઇ કહે કે આગ્રહ હોય તો ઉપવાસ ખેંચી કાઢું પણ આયંબિલ તો મારાથી થઇ જ ના શકે. $ = છેવટે બધાના દબાણથી એમણે જીંદગીનું સૌ પ્રથમ આયંબિલ કર્યું. એમને એ ખુબ અનુકુળ આવી ગયું ! બીજે દિવસે પણ કર્યું ! લગભગ ૩૨-૩૩ આયંબિલ સતત થયા ! સદ્ગુરૂની પ્રેરણાથી એમણે લાગટ ૧૦૮ આયંબિલ કર્યા !! ગિરીશભાઇ ની આયંબિલ. ગાડી હવે ચોથા ગિયરમાં આવી ગઇ હતી એમણે સતત ૧૭૫ આયંબિલ પુરા કર્યા !!! જે સંબંધીઓ આયંબિલ કરવા આગ્રહ કરતા હતા એજ હવે પારણું કરાવવા આગ્રહવાળા બન્યા. શરીરનું વજન ૯૪ કીલોમાંથી ૭૪ કીલો પર આવી ગયુ હતું પણ ગિરીશભાઇ ને એનો વાંધો ન હતો. એમણે ૧૦૦૮ આયંબિલનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો ! સંબધીઓ આ પડકાર ઝીલી શકવા સમર્થ ના બન્યા, બધાના અતિ આગ્રહથી એમણે ૧૮૧ આયંબિલે પારણું કરવું પડ્યું. હાલ ( ચૈત્ર ૨૦૫૫ ) એમને વર્ષીતપ પૂર્ણ થવાના આરે છે ! એ સતત બીજો વર્ષીતપ કરવા થનગનાટ અનુભવે છે. ( મનસ્વી કાયાથી દુ:ખ ને પણ ગણકાર્યા વગર શું શું કરી શકે છે એ વાત અહીં બહુ સ્પષ્ટ જણાઇ આવે છે.) અશક્ય એવું આ વાંચતા આશ્ચર્યમાં ડુબેલા તમે હવે ભાનમાં આવ્યા? ક્યારેક એવુંવિશ્વમાં બનતું હોય છે કે માણસને જે ૯ ૧૮) ડ ડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy