SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કે મા 996) ક & M. B h જે શક્ય જ ન લાગતું હોય તે કરવા માંડે તો ખબર પડે કે આ તો સાવ સહેલું છે અને કોઇને તો એ એટલું ગમી જાય છે કે પછી એ આત્મસાત થઇ જાય છે. તેથી તમે પણ નક્કી કરો કે પ્રભુએ કહેલા બધાં અનુષ્ઠાનો આપણે અવારનવાર કરવા. એમ ક્યારેક એક અનોખા આનંદને મેળવવાની ચાવી તમારા હાથમાં આવી જશે. (૧૨. નવકારે ભૂતથી બચાવ્યો ! વડોદરાના પરેશનો આ સ્વાનુભવ આપણને નવકારના પવિત્ર શબ્દોમાં જ્ઞાનીઓએ વર્ણવેલા પ્રભાવની સિદિધ કરાવે છે ! પરેશકુમારના શબ્દોમાં જ વાંચો: ૧૮ વર્ષ પહેલાં હું પંચમહાલ જીલ્લાના એક શહેરમાં ધંધાર્થે ગયેલો. એક સંબંધીના ધાબે એકલો શ્રી નવકાર ગણી સૂતો. ઉંધમાં જ મારા ખભા પર દબાણ ખૂબ વધતું ગયું. આંખ ખોલી. કોઇ દેખાયું નહીં. ડરથી આંખો મીંચી દીધી. અદશ્ય શકિતની કલ્પનાથી ભય વધ્યો. શ્રી નવકારનું સ્મરણ કર્યું. ભૂતે જોર વધાર્યું. પછી તો જેમ ભયથી મેં ઝડપથી નવકાર ગણવા માંડયા તેમ પ્રેત તેનું જોર વધારતું ગયું. મેં નવકાર ચાલુ જ રાખ્યા ! અચાનક મેં મારા શરીરને લગભગ ૪ ફૂટ ઊંચેથી પથારીમાં પડતું જોયું ! ભય ઘણો વધી ગયો. આંખો ખોલી ન શકયો. ચોરસો ખેંચી ઓઢયો. નવકાર ગણવા ચાલુ રાખ્યા. ઉંધ આવી ગઇ! સવારે ઉઠયો. ઉઠાય નહીં. ભીંતના ટેકે બેસી રાતનો બનાવ વિચારતા તાવ ચઢયો. કામ પતાવી મારા ગામ જવા નીકળ્યો. પરેશભાઇ કહે છે ત્યારે નવકારે મને બચાવ્યો. હે પુણ્યાત્માઓ! તમે પણ નિર્ણય કરો કે ભયંકર આપત્તિમાં નિર્ભયપણે શ્રી નવકારનું શરણું સ્વીકારશું ! નવકારએ રક્ષણ, પુણ્ય, સુખ, સદ્ગતિ અને શિવગતિ બધું જ આપે છે. “હે સ્થૂલિભદ્રસ્વામિ ! આ સેવકમાં બ્રહ્મતેજ પ્રગટાવો * దీదీదీదీదీ ఆ ఉరడీడీడీ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy