SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ '૪૨. વનની સફળતા આખા દેશમાં પ્રસિદ્ધિ પામેલ શત્રુંજયનો અભિષેક જે મહાન આત્માએ કરાવ્યો તે રજનીભાઈ દેવડી ખૂબ ધમપ્રેમી હતા. એકવાર એમને શુભ ભાવ જાગ્યો. તે અનુસાર સંકલ્પ કર્યો કે સાધર્મિક ભક્તિ કરવી. પોતે તપાસ કરી. મધ્યમ વર્ગના ૨૨ જેના પરિવારોને સ્વયં ૧૧ લાખ રૂ. નું ગુપ્તદાન કર્યું. આવી માતબર છતાં ગુપ્ત ભક્તિ કરનારા આવા હીરલા હડહડતા કલિકાળમાં પણ છે ! ભલે વિરલા હોય. બીજા એક ડીસાવાસીએ છ માસ પહેલાં જ શોધીને એવા ૨૨ પરિવારોને નિમંત્રી આદરથી જમાડી દરેકને ૧ - ૧ લાખનું દાન કર્યું. તમારે યથાશક્તિ દાન ધર્મ કરવો છે કે નીચેના કાવ્યને સાચું પાડવું છે? કર્મ તને પૂછશે, કોઈના આંસુ લુછયા'તા? – મેં ફેં ફેં હં હં કરતો, માનવ કહેશે શું? શું? શું? ' ; . ૪૩. વન્ય મિલાવવા , ; , એકવાર એક યુવાન સ્વ. પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનું સૂરિ મ.પાસે આવીને કહે: “સાહેબજી ! કોલેજની વાર્ષિક પરીક્ષામાં દેડકા ચીરવાનું ફરજિયાત હતું. મેં નિર્ણય કર્યો કે મારે આ ભયંકર પાપ કરવું નથી. નવકાર મંત્ર દિલથી ખૂબ, ગણતા પ્રાર્થના કરી કે હે પ્રભુ ! આ પાપથી બચાવ. પરીક્ષા સમયે ગયો. મારો નંબર આવ્યો ત્યારે લાઈટ ગઈ! દશેક મિનિટ બંધ રહી. એ દરમ્યાન મેં મને આપેલ જીવતા દેડકાને છૂટો મૂકી દીધો ! બીજાનો કાપેલો લઈ લીધો. પરીક્ષા આપી દીધી. પાસ થયો. પ્રભુએ પાપથી બચાવી દીધો !' આવા કલિકાળમાં યુવાનો પણ આવા દ્રઢ અહિંસાભાવવાળા છે. હે અહિંસાપ્રેમીઓ! તમે પણ યુક્તિ-પ્રયુક્તિથી ત્રસહિંસા વગેરે મોટા પાપોથી બચવા પૂરો પ્રયત્ન કરી અહિંસક પરિણામોને આ ભવમાં ખૂબ વૃઢ કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005426
Book TitleJain Adarsh Prasango Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year1999
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy