________________
શૂન્યમાંથી એક ભવ્ય તીર્થ નિમણિમાં કેટલો બધો ભોગ આપ્યો હશે?
આ શ્રાદ્ધરત્ન આ તીર્થને શ્રેષ્ઠ ને પવિત્ર બનાવવા અવિધિ - આશાતનાઓ ન થાય તે માટે જાતે ત્યાં રહી બધી તપાસ રાખતા ! ઓળીના આયંબિલ જાળિયા ગામમાં ઝૂંપડીમાં જાતે રસોઈ બનાવી આ કરોડપતિ શ્રાવકે કર્યા છે !
સંયમમૂર્તિ પરમપૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મ.સા. ની હસ્તગિરિજીના ઉદ્ધારની ભાવના જાણી આ સુશ્રાવકે તે અતિ ભગીરથ સત્કાર્ય ભવ્ય રીતે સાકાર કરવાનું બીડું ઝડપી લીધું. પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક પૂજ્યોની કૃપાથી અને પોતાની સર્વશક્તિથી આ શ્રેષ્ઠ કાર્ય ખૂબ સુંદર રીતે પાર પાડયું. અને ઊંચા પર્વતના શિખર પર ૭૨ જિનાલયનું ભવ્ય દેવાલય ખડું કરી દીધું ! ! આવા અતિપવિત્રહૃદયી શાસનરાગીએ ઉછળતાં નિર્મળ ભાવોથી શાસ્ત્રીય વિધિપૂર્વક નિમણિ કરેલા આ ભવ્ય હસ્તગિરિ તીર્થની આપણે શાંતચિત્તે વિધિપૂર્વક શુભ આશયથી વારંવાર યાત્રા કરવી જ જોઈએ જેનાથી આપણા અનાદિ અનંત અશુભ ભાવોનો મૂળથી નાશ થઈ સમ્યક્ત, સર્વવિરતિ અને શીધ્ર શિવરમણી આપણને અવશ્ય મળશે.
જીવ માત્ર પ્રત્યે તેમનો મૈત્રીભાવ પણ ખૂબ જ અનુમોદનીય છે. ઉપકાર બુદ્ધિથી નોકરીમાં રાખેલ માણસે લાખેક રૂપિયા જેટલી ચોરી કરી, ધમકાવવાને બદલે કાન્તિભાઈએ સંવત્સરીએ સૌ પ્રથમ ક્ષમાપના - પત્રિકા તેને લખી! બીજા કોઈ પગલાં નહિ, દંડ નહીં. પોતાનું માથું ફોડવા આવનારને પાલીતાણા ચોમાસું કરવા પ્રેમથી બોલાવી કેટલીક વ્યવસ્થા સોંપી પોતાના મૈત્રી ભાવને ખૂબ દ્રઢ કર્યો.
પોતાની ૨ સુપુત્રીના લગ્ન પ્રસંગે નિમંત્રી સુંદર આગતાસ્વાગતા કરી. જાળિયાના માથાભારે માણસોનું તીર્થવિરોધીપણું કુનેહથી મિટાવી દીધું. આ કાંતિભાઈના સાદગી, નમ્રતા, નિખાલસતા વગેરે અનેક ગુણો અનુમોદનીય હતા. મોઢા પર પણ અભિમાન અને મોટાઈનો છાંટોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org