________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
આવા ભિખારીઓને સારૂ કામ શેધી આપવાને બદલે તેમને ભિક્ષા આપી પિષે છે.
મેં હંમેશાં એમ માન્યું છે કે બીજાના ગજ જેવડા દોષોને આપણે રજ જેવડા કરી જોઈએ ને પિતાના રાઈ જેવડા: લાગતા દેને પહાડ જેવડા જોતાં શીખીએ, ત્યારે જ આપણને પિતાના ને પારકા દેશેનું ઠીક ઠીક પ્રમાણ મળી રહે. મેં એમ, પણ માન્યું છે કે આ સામાન્ય નિયમનું પાલન સત્યાગ્રહી થવા ઈચ્છનારે તે ઘણું વધારે સૂક્ષમતાથી કરવું જોઈએ.
સત્યથી ભિન્ન કે પરમેશ્વર હેય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારૂ અહિંસા એજ એક માર્ગ છે. એમ આ પ્રકરણને પાને પાને ( આત્મકથાના) ન દેખાયું હોય તે આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ છે પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તેયે કાચી છે, અપૂર્ણ છે. તેથી મારી સત્યની ઝાંખી હજારો સુરજને એકઠા કરીએ તે પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પુર માપ ન મળી શકે એવા સુરજના એક કિરણ માત્રના દર્શન રૂપજ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશકય છે. એટલું તે હું મારા આજ લગીના પ્રયોગને અંતે અવશ્ય કહી શકું છું.
આવા વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારૂ.
૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org