________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન.
જયાં લગી જુદા જુદા ધર્મ રહ્યા છે ત્યાં લગી પ્રત્યેક ધમને કાંઈક ખાસ બાહ્ય સંજ્ઞાની કદાચ આવશ્યકતા હોય. પણ જ્યારે બાહા સંજ્ઞા કેવળ આડંબર રૂપે થઈ પડે, અથવા પિતાના ધર્મને બીજા ધર્મથી તારવી કાઢવા સારૂ વપરાય, ત્યારે તે ત્યાજ્ય થઈ પડે છે. અત્યારે જઈ હિંદુધર્મને ઉંચે લઈ જવાનું સાધન છે એમ જેતે નથી એટલે તેને વિષે હું તટસ્થ છું.
ને કે નમ્રતાનો અભાવ હું ઠેકઠેકાણે અનુભવતું હતું, છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા મટી જવાનો આભાસ આવતો હતે. નમ્રતાને પૂરે અર્થ શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજા વ્રતે હાય. શૂન્યતા એ મેક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જે નમ્રતા -નિરભિમાનતા ન હોય તે તે મુમુક્ષુ નથી, સેવક નથી, તે સ્વાર્થી છે, અહંકારી છે.
આ દેશ ભૂખમરાથી એ પીડાય છે કે ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. ને તેઓ ખાવાનું મેળવવાને સારુ સામાન્ય મર્યાદાને લેપ કરે છે. ધનિક લેકે વગર વિચારે
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org