________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
પાસે રહેલા યુવક અને યુવતીઓની સમક્ષ પદાર્થ પાઠ રૂપે થઈને રહેવું રહ્યું. આથી મારા શિષ્ય મારા શિક્ષક બન્યા. મારે અર્થે નહિં તેમને અર્થે મારે સારા થવું ને રહેવું જોઈએ એમ હું સમજ્યા.
૩૦
માબાપની દેખરેખ બરોબર હોય તે પિતાનાં સારાં નઠારાં છોકરાં સાથે રહે ને ભણે તેથી સારાને કશી હાનિ નથી. પિતાનાં છોકરાંને તીજોરીમાં પુરી રાખવાથી તે શુદ્ધજ રહે છે બહાર કાઢયાથી અભડાય છે એ કેઈ નિયમ તે નથી જ. હા, આટલું ખરું છે કે જ્યાં અનેક પ્રકારના બાળકો તેમજ બાળાઓ સાથે રહેતાં ભણતાં હોય, ત્યાં માબાપની અને. શિક્ષકની કસોટી થાય છે, તેમને સાવધાન રહેવું પડે છે.
૭૧. મારે કહેવાને ( સિદ્ધ કરવાને) એ આશય નથી કે શિષ્યના પ્રત્યેક દેષને સારૂ હમેશાં શિક્ષકેએ ઉપવાસાદિ કરવાં જ જોઈએ. પણ હું માનું છું કે કેટલાક સંજોગોમાં આવા પ્રાયશ્ચિતરૂપ ઉપવાસને અવશ્ય સ્થાન છે. પણ તેને સારૂ વિવેક અને અધિકાર જોઈએ. જ્યાં શિક્ષક શિષ્ય વચ્ચે શુદ્ધ પ્રેમબંધન નથી, જ્યાં શિક્ષકને પિતાને શિષ્યના દેષને ખરે આઘાત નથી, જ્યાં શિષ્યને શિક્ષક પ્રત્યે આદર નથી ત્યાં ઉપવાસ નિરર્થક છે, અને કદાચ હાનિકર પણ થાય. પણ આવા ઉપવાસ એક ટાણાં વિષે ભલે શંકા હોય, પરંતુ શિક્ષક
૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org