________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
બ્રહાચર્ય નથી. વિચાર માત્ર વિકાર છે. તેને વશ કરવા એટલે. મનને વશ કરવું અને મનને વશ કરવું તે વાયુને વશ કરવા કરતાં ચે કઠિન છે. આમ છતાં જો આત્મા છે તે આ વસ્તુ પણ સાધ્ય છે જ.
૫૦ આ જગતમાં જ્યાં ઈશ્વર કહે કે સત્ય કહે તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી ત્યાં નિશ્ચિતપણને ખ્યાલ કર એજ દેષમય લાગે છે. આ જે બધું આપણી આસપાસ દેખાય છે ને બને છે તે બધું અનિશ્ચિત છે, ક્ષણિક છે, તેમ જે પરમતત્વ નિશ્ચિત રૂપે છુપાએલું છે તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રદ્ધા રહે, તે જ જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરૂષાર્થ છે.
ક્ષણે ક્ષણે વૈદ્ય, હકીમ, અને દાક્તરને ત્યાં દેડવાથી ને શરીરમાં અનેક વસાણાં અને રસાયણે ભરવાથી મનુષ્ય પિતાનું જીવન ટુંકું કરે છે, એટલું જ નહિ, પણ પોતાના મન ઉપર કાબુ મેઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ઓઈ બેસે છે. અને શરીરને સ્વામી રહેવાને બદલે શરીરને ગુલામ બને છે.
પર
મારી માન્યતા છે કે મનુષ્યને દવા લેવાની ભાગ્યેજ જરૂર રહે છે. પથ્ય અને પાણી, માટી ઈત્યાદિના ઘરગથુ ઉપચારથી એક હજારમાંથી નવર્સે નવાણું કેસ સારા થઈ શકે છે.
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org