________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
પ૩ મારે દઢ વિશ્વાસ છે કે મનુષ્ય બાળક તરીકે માતાનું દૂધ પીએ છે, તે ઉપરાંત બીજા દૂધની આવશ્યકતા નથી. મનુષ્યને રાક વનપક ફળો, લીલાં અને સૂકાં સિવાય બીજો નથી. બદામાદિ બીજમાંથી અને દ્રાક્ષાદિ ફળમાંથી તેને શરીર અને બુદ્ધિનું પૂર્ણ પિષણ મળી રહે છે આવા ખોરાક ઉપર જે રહી શકે તેને સારૂ બ્રહ્મચર્યાદિ આત્મસંયમ સહેલી વસ્તુ થઈ પડે છે. “આહાર તેવો ઓડકાર” “માણસ જેવું ખાય તે થાય છે.” એ કહેવતમાં ઘણું તથ્ય છે એમ મેં અને મારા સાથીઓએ અનુભવ્યું છે.
૫૪ ખાવાપીવાની સાથે આત્માને સંબંધ નથી.”“તે નથી ખાતે, નથી પીતે, જે પેટમાં જાય છે તે નહિ, પણ જે વચને અંદરથી નીકળે છે તે હાનિલાભ કરે છે, વિગેરે દલીલો હું જાણું છું. એમાં તથ્થાંશ છે. પણ દલીલમાં ઉતર્યા વિના અહિં તે મારે દઢ નિશ્ચય જ મૂકી દઉં છું, કે જે મનુષ્ય ઇશ્વરથી ડરીને ચાલવા ઈચ્છે છે, જે ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છે છે, એવા સાધક અને મુમુક્ષુને સારૂ પિતાના ખેરાકની પસંદગી–ત્યાગ અને સ્વીકાર–એટલાંજ આવશ્યક છે જેટલા વિચાર અને વાચાની પસંદગી–ત્યાગ અને સ્વીકાર આવશ્યક છે.
મનુષ્ય અને તેનું કામ એ બે નેખી વસ્તુ છે. સારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org