SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકથાનાં અમૃતબિંદુએ ઇન્દ્રિય દમનના હેતુથી ઈચ્છાપૂર્વક કરેલા ઉપવાસની ઇન્દ્રિય જમનમાં બહુ મદદ મળે છે, એ વિષે મને શંકા નથી. કેટલાક લેકે ઉપવાસ કર્યા છતાં નિષ્ફળ જાય છે તેનું કારણ એ છે કે ઉપવાસજ બધું કરી શકશે એમ માની તેઓ માત્ર સ્થળ ઉપવાસ કરે છે. ને મનથી છપ્પન ભેગ આરોગે છે. ઉપવાસ દરમ્યાન ઉપવાસ છુટયે શું ખાઈશું એના વિચારને સ્વાદ લીધા કરે છે. ને પછી ફરીયાદ કરે છે કે નથી સ્વાદેન્દ્રિયને સંયમ થશે અને નથી જનનેન્દ્રિયને ૪૧ ઉપવાસની ખરી ઉપયોગીતા ત્યાંજ હેય જ્યાં માણસનું મન પણ દેહદમનમાં સાથ આપે. એટલે કે મનને પણ વિષયલેગ પ્રત્યે વૈરાગ્ય આવ્યે હવે જોઈએ. વિષયનાં મૂળિયાં મનમાં રહેલાં છે. ઉપવાસાદિ સાધનોની મદદ જો કે ઘણી છતાં પ્રમાણમાં ભેજ હોય છે. એમ કહી શકાય કે ઉપવાસ કરતે છતે મનુષ્ય વિષયાસક્ત રહી શકે છે ખરે. પણ ઉપવાસ વિના વિષયાશક્તિને જડમૂળથી નાશ સંભવ નથી. તેથી બહાચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળે નિપજતાં જોવામાં આવે છે. તેને અંતજ હોતો નથી. જેમ જેમ તેમાં ઉંડા ઉતરીએ તેમ તેમ તેમાંથી રને મળ્યાં કરે છે, સેવાના પ્રસંગો જડયા કરે છે. ૧૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005420
Book TitleAatmakathana Amrut Binduo
Original Sutra AuthorN/A
AuthorMohandas Karamchand Gandhi, Gandhiji
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy