________________
આત્મજ્જાનાં અમૃતબિંદુઓ સંતતિ થાય તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે, મેળવવું જોઈએ તે જ્ઞાન મેળવશે, ને તેને ઉપયોગ પોતાની પ્રજાને આપશે.
૩૭ વત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે.
૩૮ મેં જોયું કે વ્રતથી ન બંધાવામાં મનુષ્ય મેહમાં પડે છે. વ્રતથી બંધાવું એ વ્યભિચારમાંથી નીકળી એક પત્નીને સંબંધ બાંધવા જેવું છે. “હું પ્રયત્ન કરવામાં માનું છું વ્રતથી અંધાવા નથી માગત”એ વચન નિર્બળતાની નિશાની છે. ને તેમાં સૂક્ષમ રીતે ભેગની ઈચ્છા છે. - જે વસ્તુ ત્યાજ્ય છે તેને સર્વથા ત્યાગ કરવામાં હાનિ કેમ હોઈ શકે? જે સર્પ મને કરડવાને છે તેને હું નિશ્ચયપૂર્વક ત્યાગ કરૂં છું, ત્યાગને માત્ર પ્રયત્ન કરતું નથી. હું જાણું છું કે માત્ર પ્રયત્ન પર રહેવામાં મરવું રહેલું છે. પ્રયત્નમાં સર્પની વિકરાળતાના સ્પષ્ટ જ્ઞાનને અભાવ છે. તેજ પ્રમાણે જે વસ્તુના ત્યાગને આપણે માત્ર પ્રયત્ન કરીએ છીએ તે વસ્તુના ત્યાગની યોગ્યતાને વિષે આપણને સ્પષ્ટ દર્શન નથી થયું એમ સિદ્ધ થાય છે.
૩૯. બહાચર્યનું પાલન કરવું હોય તે સ્વાદેન્દ્રિય ઉપર કાબુ મેળવજ જોઈએ. જે સ્વાદને છતાય તે બ્રહ્મચર્ય અતિશય સહેલું છે એ મેં જાતે અનુભવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org