________________
૧૦
વિદ્યાથી વાચનમાળા-૮
પ્રેમાનંદની પેઠે શામળને કાવ્યપ્રવાહ પણ એકધારો વહ્યો છે. એણે એની વાર્તાઓમાં પ્રાસંગિક બંધ આપેલો છે, સંસારના અનુભવની કડવીમીઠી બાજુએ બતાવી છે, સાંભળનારાઓને સન્માર્ગે દોરે અને ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી નાની નાની કથાઓ, તથા દષ્ટાનો પણ તેણે લખ્યાં છે. તેણે જગતમાં મેળવેલા જ્ઞાનને યુક્તિપર્વક પોતાનાં કાવ્યમાં ઉપયોગ કર્યો છે.
તેની પાસે દષ્ટાંતોને ભંડાર છે, સમશ્યાઓને તેને શેખ ઘણી વાર્તાઓમાં દેખાય છે. સમશ્યાઓ દાખલ કરવામાં તેની ચાતુરી પણ દેખાય છે, વ્યવહારમાં ઉપયોગી થઈ પડે તેવી ઘણી કહેવતોને તેણે સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. કેટલીક નવી કહેવતો જન્માવી પણ છે. તેનાં કાવ્યમાં પ્રખર કલ્પના નથી, માનવ સ્વભાવનું ઊંડું આલેખન નથી, પ્રેમાનંદની પેઠે સાંગોપાંગ વર્ણન કરવાની, કુદરતી સૌન્દર્યને પ્રત્યક્ષ કરવાની, મનનાં મંથને, આઘાત-પ્રત્યાઘાતોને યથાસ્થિત ચીતરવાની, એક રસમાંથી બીજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org