________________
નં૦ ૧૨૩
ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનું દાનપત્ર
શક સં. ૧૭૩૪ (ઈ. સ. ૮૧૨–૧૩) વૈશાખ સુદ ૧૫
આ લેખ મૂળ મી. એચ. ટી. પ્રિન્સેપે જ. બ. . . ૮ પા. ર૯૨ માં પ્રસિદ્ધ કર્યો હતે. બ્રિટિશ મ્યુઝીયમના અસલ પતરા ઉપરથી હું એ ફરીથી પ્રસિદ્ધ કરું છું. મી. પ્રિન્સેપને તે પતરાં મી. ડબ્લયુ. પી. ગ્રાંટે આપ્યાં હતાં, અને તેમને વડોદરાના “એનીરામ ” પાસેથી મળ્યાં હતાં. • એનીરામ” તે પતરાંઓની શોધ વિષે એવી હકીકત આપે છે કે, વડોદરા શહેરમાં એક ઘરનો પાયે દાતા હતા તેમાંથી તે મળ્યાં હતાં,
૨૧ મસિદ્ધ કરું છું. મી.
પી. ગ્રાંટે આપ્યાં હતાં
પાસેથી મળ્યાં હતાં .
આ ત્રણ પતરાં છે, તે દરેક લગભગ ૧૧” લાંબું અને છેડે ૮" પહોળું છે, તથા મધ્યમાં ૭૫” પહાળું છે. લેખના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા હતા. લેખ એકંદરે સુરક્ષિત અને સુવાચ્ય છે. આ દાનપત્રને બે કડીઓ છે. ડાબી બાજુની કડી સાદી અને આશરે 1'' જાડી અને કુ” વ્યાસની છે. જમણી બાજુની કડી ” જાડી અને ગોળાકાર નહીં, પણ વાંકીચૂંકી છે. આ કડી ઉપરની મુદ્રા ગેળ અને ૧૭” વ્યાસની છે. તેની મધ્યમાં ” વ્યાસની નાની ઉપસાવેલી જગ્યા છે, તેના ઉપર શિવની મૂર્તિ રિવાજ મુજબ)– તથા તે નીચે અસ્પષ્ટ અક્ષરે છે. ભાષા છેવટ સુધી સંરકત છે,
આ લેખમાં વંશાવલી ગોવિંદ ૧ લાથી શરૂ થાય છે. તેના પુત્ર કર્કને છ પુત્ર ઈન્દ્ર ૨ જે આ નથી. તેના નાના પુત્ર કુમગુ ૧ લા એ તેના સંબંધીઓને કાઢી મૂક્યાનું કહ્યું છે. તેણે ચૌલુક સાથે લઢાઈ કરી હતી. તેણે એલાપુરના ડુંગરે અથવા ડુંગરી કિલામાં પિતાનું થાણું નાંખ્યું હતું. આ સ્થળ ઓળખાયું નથી. પણ હું ધારું છું કે તે પશ્ચિમ ઘાટમાં ઉત્તર કાનારા ડિસ્ટ્રિકટનું એલાપુર હોવું જોઈએ. ડે. બર્જેસ આ સ્થળને ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટમાં દોલતાબાદ પાસે આવેલા હાલના એલ્યુશ, જ્યાં આવાં પ્રખ્યાત શિલ્પકળાનાં ખંડેરો છે તે ગામ તરીકે ઓળખાવે છે.
ગોવિંદ ૨ ને અને તેનો પુત્ર કૃષ્ણ ૧ લો અને વિષે કંઈ પણ કહ્યા સિવાય લેખમાં તેના બીજા પુત્ર ધ્રુવ અને એના બેમાંથી મોટા પુત્ર ગોવિંદ ૩ જાની હકીકત આવે છે. તેમાં કહ્યું છે કે વિદ ૩ જાએ દૂરના દેશ તથા ગંગા અને યમુનાના પ્રદેશ જિત્યા હતા.
અહિં સુધી લેખમાં ગોવિંદ ૩ જા સુધી મુખ્ય વંશ આપ્યા છે. ત્યાર પછી ગોવિંદ ૩ જાના નાના બંધુ ઈંદ્ર ૩ જાના નામથી તે વંશને ગુજરાતને વિભાગ શરૂ થાય છે. તે
વંદે માપેલા લાટના રાજાના પ્રાંત અધિકાર ધારણ કરે છે. બુહુરે જણાવ્યું છે કે “લાટ એ મહી અને કાંકગુ વચ્ચેનો પ્રદેશ, જેને હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત કહેવાય છે તે છે. ” તેણે એ પણ બતાવ્યું છે કે ગોવિંદ ૩ જાએ લાટ થોડા સમય પહેલાં જ જિત્યો હતો. ગોવિંદ ૩ ાએ ગુર્જર રાજાને જિત્યાની હકીકત વાણિનાં શક ૭૨૮ ના વ્યાસ સંવત્સર ના વૈશાખની પૂર્ણિમાના દાનપત્રમાં આપી નથી, જ્યારે તે રાધનપુરના શક ૭૨૯ ના સર્વજિત સંવત્સરના શ્રાવણની પૂર્ણિમાના લેખમાં આપી છે. આથી અનુમાન થઈ શકે છે કે ગોવિંદ ૩ જાએ ગુર્જરો, જેને અર્થ ડે. બુલ્ડર અણહિલવાડના ચાપેકટ અથવા ચાવડાઓ કરે છે, તેને આ બે તારીખો વચ્ચેના સમયમાં જિત્યા હતા, અને તેઓને બહારનો લાટ પ્રદેશ જેડી દીધું હતો એટલે કે આ લેખની તારીખ પહેલાં પાંચ વર્ષ આમ બન્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org