SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ २६ गुजरातना ऐतिहासिक लेख મકી, અન્ન આભૂષણનો ત્યાગ કરાવી, અને દાનથી તેમની અભિલાષને અંત પર્ણ જતા અને મૌક્તિક હારથી ભૂષિત યાચકે જેવા જ તેમને (દુશમનને ) બનાવ્યા. (૧૨) ત્રિભુવનને આપદમાં રક્ષે તેવું તેનું અલૌકિક કૃષ્ણ જેવું સ્વરૂપ , તેને પિતા જ્યારે તેને પૂર્ણ સત્તા અર્પતા હતા ત્યારે તેણે તેને આ યુક્ત વાણી કહીઃ “પિતા ! આ તમારું છે. તમારી ન ઉથાપાય તેવી આજ્ઞા જેવી આ ( યુવરાજની ) તમારી અપેલી કેઠિકા મેં નથી ધારી ? (૧૩) જ્યારે તેના પિતા સ્વર્ગવાસી થયા અને માત્ર તેમને યશ જ અહીં રહ્યા હતા ત્યારે તેણે અન્યની સહાય વગર, પ્રલયાગ્નિ જેમ પૃથ્વીને સંહાર કરવા એકત્ર થએલા ૧૨ (બાર) સૂર્યનું તેજ હરી લે છે તેમ ભૂમિ પ્રાપ્ત કરી લેવા એકત્ર થયેલા બાર (૧૨) ખ્યાતિવાળા નૃપનું તેજ પિતાના અધિક પ્રતાપથી સત્વર હરી લીધું. (૧૪) પછી જ્યારે તેણે અત્યંત દયાથી લાંબી કેદમાંથી મુક્ત કરી, તેના પિતાના દેશમાં મોકલેલે ગંગા તેના અતિમદથી સામે ઉભા રહ્યો ત્યારે તેણે ભવ્ય લલાટ પર કેપ જણાય તે પહેલાં તેને હરાવી અને પુનઃ બીવાન કર્યો, (૧૫) બાણ અને અસનનાં પુ પર ભ્રમર મૂકતી, બધુજીવના ઉપના સૌન્દર્યમાં વૃદ્ધિ કરતી અને પદ્યની વૃદ્ધિને અનુકૂળ એવી શરઋતુના આગમનથી વૃષ્ટિ (વરસાદ) બંધ થાય છે તેમ બંધુજનનાં જીવન અને વૈભવ ખીલવનાર, શ્રીની વૃદ્ધિવાળો, જેની આગળ દ્ધાઓ ખિન્ન થઈ જતા તેને પોતાના ધનુષ પર તેને તાકવા માટે મૂકેલાં તીર સાથે આવતા જઈ ગુર્જર સ્વમમાં પશુ યુદ્ધ ન દેખે તેમ ભયથી નષ્ટ થઈ ગયે. (૧૬) નયપરાયણુ માલવનાયકે પોતાની લમી તેના ચરણુનમન પર આધાર રાખે છે તેમ જોઈને તેણે દૂરથી જ અંજલિ કરી તેને નમન કર્યું. કયે અલ્પશક્તિવાળે પ્રજ્ઞજન બલીઆની સાથે સ્પર્ધા કરશે ? કારણકે નીતિનું પરમ કુલ બલમાં અધિકતા પિતાની છે અથવા શત્રુની છે તેનું જ્ઞાન છે. (૧૭) તેણે વિંધ્યાદ્રિની ટેકરીઓ પર છાવણી નાંખી છે એમ તે પાસેથી સાંભળી અને તે ધ્રુવ માફક પિતાના દેશ તરફ આવે છે એમ માની ભારધર નુપ ભયભીત બની ... - •• .. .. તેના મનની આરાધના કરવા તથા તેના ચરણના નમન માટે સત્વર ગયે, (૧૮) ઘનઘોર વાદળથી વ્યાપલા આકાશવાણી વર્ષા ઋતુ શ્રીભવનમાં ગાળી, તે ત્યાંથી 'ગાભકાને તીર સેના સહિત ગયે. અને ત્યાં રહીન, ફેંકી દઈને પણ તેના હાથમાં હતી તે પલની લહમી શત્રુઓને નમાવી પુનઃ પૂર્ણ હરી લીધી. ' (૧૯) લેખાકારના મૂળમાંથી ફક્ત અધી જ વાણ થઈ હતી ત્યારે વેગીનાથ નાશી ગયે. અને પિતાના સુખની ઈચ્છા રાખી, નિત્ય કિંકરવત એ શ્રમ કર્યો કે તેની છાવણી આસપાસ ગગને સ્પર્શ કરતી અને રાત્રે તારકગણુથી આવૃત બનતી મૌક્તિકમાલા જેવી દિવાલ કરી. | ( ૨૦) તેને અંજલિથી નમન કરતા, કરેથી મંડિત શિરવાળા શત્રુઓએ, તેનાં ચરણ જે તેમણે ભેટ કરેલાં અતિસુંદર આભૂષણ કરતાં, “ભય રાખશે નહીં ” એ શબ્દો જેની સત્યતાનું પાલન તેના યશની રક્ષા કરે છે તે શબ્દ )થી અધિક શોભિતા થતા હતા તેને આશ્રય લીધે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy