SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ राष्ट्रकूट राजा गोविन्द ३ जानां राधनपुरनां पतरां ભાષાન્તર ( ક. ૧) જેના નાભિકમળને બ્રહ્માએ નિવાસસ્થાન કર્યું છે અને હર જેનું શિર ઈન્દુલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે ! (શ્લે. ૨) વિશાળ વક્ષસ્થળ પરના ઝળહળતા કૌસ્તુભમણિનાં લાંબાં કિરણોથી ઢંકાએલા કંઠવાળ, સત્યસંપન્ન, અને વિપુલ ચક્રથી અરિગણુને પરાજય કરનાર, કૃષ્ણ સમાન ભૂમિ પર કરણરાજ, જેને કંઠ તેના વિશાળ વક્ષસ્થળને આલિંગન કરતી લક્ષમીદેવીના પ્રસારેલા કરથી ઢંકાએલો હતો, જે સત્યસંપન્ન હતું, અને જેણે મહાન સેનાથી શત્રુઓને વિજય કર્યો હતો અને જેનાં કૃત્યે કાળાં નહતાં તે હતા. (પ્લે. ૩) દેવમંડળથી ધારણ થએલા મન્દર પવત, ત્વરાથી અને સહેલાઈથી, પક્ષછેદનના ભયથી આશ્રય લેતા મેટા પર્વતોના સમૂહથી પ્રકાશતા, દુસ્તર અને ઝળહળતાં રત્નાથી પૂર્ણ સાગરમાંથી લક્ષમી હરી લીધી તેમ સમસ્ત પ્રજ્ઞ જનની સહાયથી, પક્ષ છેદનના ભયથીઆશ્રિત મહાન રાજકુલોથી મંડિત, અજિત અને વિમલ પ્રભાવાળા ખજાનાવાળા ચાલુક્ય અન્વય( કુલ)માંથી લક્ષમી, તે વલ્લભે ત્વરાથી અને સહેલાઈથી હરી લીધી. (પ્લે. ૪) તેને, ચણ્ડ કિરણોથી સર્વ દિશાઓમાં ત્રાસ આપનાર સૂર્ય માફક મહાન પ્રતાપથી ભૂમંડલમાં આણ વર્તાવનાર અને તે છતાં માણસને હલકા કરો( વેરા )થી આનંદ આપનાર, ધૈર્યધનવાળ, અને શત્રુઓની વનિતાનાં મુખ કમલનું સૌદર્ય હરનાર અને જેના યશની માળા દિગ્ગાયિકા નિત્ય ધારતી તે ઘરનામને પુત્ર હતે. | (સ્પે. ૫) જેણાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા ઈંદુ સમાન જેક બંધુનું (ગાદી પર આવતાં) ઉલંઘન કર્યા છતાં વિમલ લફર્મીથી સંપન્ન, ચિતરફ સર્વને નિષ્કલંક રાખનાર, સ્થિર, અને દેષરહિત હતા તેને સર્વથી ( કર્ણ સિવાય) અધિક દાન કરતે જેઈ; કર્ણ નીચેથી મદઝરતા ગજે લજજાથી શરમાઈ દિગ્દાન્ત ( દિશાઓને છેડે) ઉભા રહ્યા. (૬) અતિ બલવાન, અજિત અને ભૂતલ પર ફરી વળનાર, અતિ મદવાળા તે ગંગને અને બન્દીવાન થએલે જેઈ, કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયો. (૭) પલ્લવમાં એક તરફથી તરવારે ખેંચી રહેલા ચંદ્ધાઓની સેનાથી અને બીજી તરફ કીડા કરતા બગલાએથી ભયાનક સાગરથી, ઘેરી લઈ અને તેને નમન કરતા તેની પાસેથી મદઝરતા માતંગે લઈને પણું, તે કદ્ધિ પણું લેશ માત્ર મદ રાખતે નહીં એ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. (૮) અતલ સેનાથી ગૉડની રાજ્યશ્રીની હેલાઈથી પ્રાપ્તિ માટે અભિમાન રાખતા વત્સરાજ ને મરૂના રણમાં હાંકી મૂકી, તેની પાસેથી ગંડના શરદ ઈન્દુના કિરણ જેવાં ત બે રાજ છત્ર લઈ લીધાં, એટલું જ નહીં પણ તેને સર્વત્ર પ્રસરેલ યશ પણું લઈ લીધો. (૯) ભૂતલના શુદ્ધ આચારથી પ્રસ્થાપિત થએલા કલિને સવર હાંકી મૂકીને કૃતયુગની પુનઃ પૂર્ણ સ્થાપના તેણે કરેલી છતાં નિરૂપમ કલિવલ્લભ કેમ કહેવાય તે અદ્દભુત છે. (૧૦) પરમેશ્વરના મસ્તકને સ્પર્શ કરતાં, સાગરમાંથી પ્રકટ થતાં કિરણવાળા ઇન્દુ તથા પૂર્વ દિશાના ઉંચા પર્વત પરથી નિત્ય ઉદય પામતા કમલને આનંદ આપતા સૂર્ય જેવા તે સદાચારી નિરૂપમ ને, શુદ્ધાત્મા, નૃપતિઓનાં શિર પર ચરણ રાખનાર, અસંખ્ય જનેને આનન્દ આપનાર, પ્રતાપી, સદા ઉદય પામતે, સજજને પ્રિય ગાવિંદરાજ પુત્ર હતા. (૧૧) આ સર્વગુણસંપન્ન નૃપના જમથી–ચાદવવંશ જેમ મધુરિપુના જન્મથી અજિત બળે તેમ– શ્રીરાષ્ટકુકુલ અજિત બન્યું. તે નૃપે, પ્રતાપી શત્રુઓને દેશનપંત પર કાઢી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy