SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નાના” એટલે દાનમાં આપીગભગ ૨૪ ગામ” એટલે ઉપર આવેલું છે. તેના राष्ट्रकूट राजा गोविंद ३ जानां गधनपुरनां पतगं રત્તજનુણ ગામની સીમા –- પૂર્વે સિહા નદિ દક્ષિણે વધુલાલા; પશ્ચિમે બિરિયડાણ; અને ઉત્તરે વરહગ્રામ, અને તે ગામના સંબંધમાં વધુ કહ્યું છે કે, તે કેટલાક બ્રાહ્મણોનું ગામ હતુંજેમાં મુખ્ય અનંતવિષ્ણુભદ્ર, વિટદવે (જહ ?) વિગેરે હતા તે ચાળીસ મહાજને માંહલા હતા. આ હકીકત ઉપરથી જણાય છે કે નિર્દિષ્ટ લેકે ગામમાં સ્થાયી થયેલા હતા. આમાં બતાવેલાં સ્થળોમાં રાસિયન એ છે. બુહરે અમદાવાદ જીલ્લાનું હાલનું શસિન તરીકે ઓળખાવ્યું છે. તે ઈડીયન એટલાસ શીટ નં. ૩૯માં લે. ૧૮૨૮” અને લાં ૭૪°૫૯’ ઉપરનું “રસીન' છે. દાનમાં આપેલું ગામ, તજજુણ અથવા ઉત્તળુણ એ ગેઝેટીઅર ઓફ ધી બોમ્બે પ્રેસિડેસી . ૧૭ પા. ૩૫૨ માં “રાજન ગામ તરીકે ઓળખાવ્યું છે. એ પિસ્ટલ ડીરેકટરીનું “રાટેજન” અને ઇંડીયન એટલાસ, શીટ નં. ૩૯ માં “રસન” થી લગભગ ૨૪ માઈલ ઉત્તર ઈશાનમાં આવેલું “રતુંજન” છે. તે “સીના ” એટલે દાનમાં આપેલી “સિંહ” નદિના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. તેની દક્ષિણમાં બરોબર ૩ માઈલ ઉપર “બબૂગામ” એટલે દાનનું “વવુલાલા;” આવેલું છે, અને “રજીન” થી પશ્ચિમે બે મૈલ ઉપર મીરૂજગાંવ” છે, તે મિરિયઠાણ હોવું જોઈએ. છેવટે રત્તજજુની ઉત્તરે આવેલા વરહ ગ્રામનું નામ “ગુરગાંવ' અને “ગુરગાંવ કેટ ” એ નામથી ચાલુ રહ્યું છે. તે ઈન્ડીયન એટલાસ શીટ નં. ૩૯ માં “રજીન” ની ઉત્તર પશ્ચિમે અનુક્રમે આઠ અને પાંચ મૈલ ઉપર આંવેલાં છે. તિગવિ એ ડે. ફલીટ “તુગાંવ' હોવાનું સૂચવે છે. તે ઈન્ડીયન એટલાસ શીટ ૩૮ માં આપેલાં સંગ—ર, સંગનેરની ઈશાન ઉત્તરમાં આશરે ૮ મૈલ ઉપરનું ગામ છે. તે “રતંજુન” થી વાયવ્ય ઉત્તરમાં આશરે ૮૦ મૈલ દૂર હશે. મેયરખડી જ્યાંથી દાન આપ્યું હતું, તેને માટે જુઓ ડે. ફલીટનું “ડાઈનેસ્ટીઝ” પા. ૩૮ ૬. આગળ કહ્યું છે તેમ આ દાન એક સૂર્યગ્રહણ સમયે અપાયું હતું, અને તે તિથિ શિક સંવત ૭૩૦ (શબ્દમાં જ આપ્યું છે ) અને સંવત સર્વજિતના શ્રાવણું કૃષ્ણ પક્ષ પડવાની છે. અગાઉ હું કહી ચૂક છું- ( જુઓ. ઈ. એ. . ૨૩ પા. ૧૩૧, નં. ૧૦૮ અને સરખા વ. ૨૫ પા. ૨૬૭, ૨૬૯ અને ૨૯૨)-કે શક સંવત ૭૩૦ ગતની આ તારીખ ર૭ મી જુલાઈ ઈ. સ. ૮૦૮, જે વખતે હિંદુસ્તાનમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું હતું, તે દિવસને મળતી આવે છે. સર્વજિત સંવત તારીખ સાથે ઉત્તરની ગણત્રી પ્રમાણે જોડી શકાય છે, કારણ કે ચોકકસ * સરેરાસ ગણત્રીની પદ્ધતિ મુજબ સર્વજીત ૨૬મી મે, ઈ. સ ૮૦૮ને દિવસે પૂરું થયું હતું, અને દક્ષિણની રીતિ પ્રમાણે સર્વજિત શક-સંવત ૭૩૦ ચાલુની બરાબર થાય છે. બીજા પતરામાં અને હંમેશ મુજબની દાન મેળવનારને નિર્વિદને ઉપભોગ કરવા દેવાની આજ્ઞા છે. અને એવાઈ ગયેલા ત્રીજાં પતરામાં આવો કંઈ ઉલલેખ તથા આશીર્વાદ અને શાપના થડા શ્લોકો હશે એવું માની શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy