SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातनां ऐतिहासिक लेख ચડ પ્રતાપવાળા નિત્ય ઉદય પામતા સૂર્ય સમાન ગોવિંદરાજ પુત્ર ઉદ્દભવ્યા , યદુકુળ મધુરિપના જન્મથી અજિત બન્યું તેમ તે ગુણી સ્થાનના જન્મથી શ્રી રાષ્ટ્રકૂટ કુલ (અન્વય) દુશ્મનોથી અજિત બન્યું. શત્રુઓને સ્પષ્ટ રીતે પોતાના અનુચરે જેવા જ કર્યા; કારણ કે શત્રુઓને મારથી હાંકી કાઢીને દેશની આશા ( હદ) બનાવી અને તેમને અન્ન, આભૂષણે ત્યાગ કરાવ્યા, જ્યારે અનુચને, ઔદાર્યથી, અભિલાષની હદ બતાવીને ઉન્મત્ત બનાવ્યા અને મોતીના હારથી આભૂષિત કર્યા. [ કૃષ્ણ સમાન ત્રિભુવનને આપદ્દમાં રક્ષે તેવી શક્તિવાળું તેનું દેવી રૂપ જોઈ તેને પિતા તેને પૃથ્વી પર સંપૂર્ણ સત્તા અપેતો હતો ત્યારે ] તેણે તેના પિતાને આ યુકત વાણી કહીઃ “પિતા ! આ તમારે આધીન છે. ઉલ્લંઘન ન કરાય તેવી આજ્ઞા જે આ તમારો આપલે કઠિક (હા૨ ) મેં નથી લીધે ? ” અને જ્યારે તેના આ પિતા સ્વર્ગવાસી થયા અને અહીં ફક્ત તેમની કીર્તિ જ રહી ત્યારે તેણે એકલાએ, અતિ વિખ્યાત પ્રતાપથી, પૃથ્વી પ્રલય કરનાર અતિ ઉષ્ણતા પ્રસરતો અગ્નિ બાર (૧૨) સૂર્યનું તેજ હરે છે તેમ પૃથ્વીને નાશ કરવા તત્પર ભેગા મળેલા બાર (૧૨) પ્રસિદ્ધ નૃપનું તેજ સત્વર હરી લીધું. અતિદયાથી લાંબી કેદમાંથી મુકત કરી, તેના પિતાના દેશમાં પાછો મેકલેલે ગંગ જ્યારે અતિ મદથી તેના હામે થયો ત્યારે તેની ભવ્ય ભ્રમમાંથી ક્રોધ જણાય તે કરતાં પણ ટૂંક સમયમાં, તેણે બાણના વિક્ષેપ વરસાદ)થી તેને સત્વર પરાજય કરી ફરીથી કેદ કર્યો. નયપરાયણ માલવાના નાયકે તેની સંપ તેના ચરણને નમન કરવા ઉપર પૂર્ણ આધારી છે તેમ દૂરથી જોઈ, કરની અંજલિ કરી (બે હાથ ડી) નમન કર્યું. કયે અલ્પશકિતવાળો પ્રજ્ઞજન, બલવાન પુરૂષ સાથે સ્પર્ધાના કિનારા પર પ્રવેશ કરે ? કારણ કે રાજનીતિ (નય) ના અધ્યયનનું ફલ, અધિકતા પિતાની કે પિતાના શત્રની છે તે જાણવાની શકિત છે. વિંધ્યાદ્રિના ઢળાવ પર તેણે છાવણી નાંખી છે એવું દ્રત પાસેથી સાંભળી અને પિતાના દેશમાં આવી પહોંચે છે તેમ માની ભયભીત બનેલે મારાશર્વ રાજા તેની ઈરછાને અનુકળ કુલધનથી તેને સદૂભાવ પ્રાપ્ત કરવા માટે તેમ જ તેના ચરણની નમનથી પૂરી કરવા સત્વર ગયો. ઘનઘોર વાદળથી આવૃત્ત થએલા આકાશવાળી વષી ઋતુ શ્રી ભવનમાં ગાળી, તે ત્યાંથી સેના સહિત તુંગભદ્રાને તીરે ગયો. અને ત્યાં રહી તેણે કે જેને બાણોના વરસાદ વડે શત્રુઓ નમતા તેણે પોતાના કરમાં હોવા છતાં પલ્લવલેકેની સર્વ લકમીનું અદ્ભુત રીતે હરણ કર્યું. તેને નમન કરવા જોડેલી અંજલિથી શોભતા લલાટવાળા શત્રુઓએ, “ભય રાખશે નહીં ” એ તેની વાણી, જે સત્યપણુથી તેની કીર્તિનું પાલન કરતી, તેનાથી જેટલા શોભતા તેટલા તેમણે ( શત્રુઓએ ) આપેલાં ઘણાં કિમતી રત્નોના ઢગથી પણું નહીં શોભતા તેના ચરણને આશ્રય લીધે. (પંક્તિ ૩૨) પવન અથવા તિ જેવું જીવિત ચંચલ અને અસાર જાણીને તેણે એક બ્રાહ્મણને પરમપુણ્ય ભૂમિદાન આપ્યું. | ( પંક્તિ ૩૩ ) પરમ દ્રારક મારાજાધિરાજ પરમેશ્વર શ્રીધારાવર્ષદેવને પાાદાનુધ્યાત ૫. મ. ૫ શ્રી પ્રભુતવર્ષ દેવ, પૃથ્વીવલમ શ્રી ગોવિંદરાજ દેવ, કુશલ હાલતમાં, રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકુટ, આયુકતક, નિયુકતક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ પ્રમાણે જાહેર કરે છે ૧ વિષ્ણુ અથવા કૃષ્ણ ૨ જી ઓ ઉપર નોટ ૨ પ. ૧૧ મે ૭ યુ યરા નો પદવીના ચિહ્નરૂપ આ * કઠિ' હતે, એ ડે. મ્યુહરની સૂચના સાચી જણાય છે. એક અપ્રસિદ્ધ પૂર્વ ચાલુકય દાનપત્રમાં નીચેને ફકર આવે છે કે--તમત્તે નિયાર્થેિ તwfux hપવળાવિયમ્ ૪ વિક્ષેપને અર્થ ડે. બ્યુલહરની સુચના પ્રમાણેને કર્યો છે અને એ -બુ વ્યાજબી છે કારણ કે ‘વિ ' ના અર્થો ફેક મકવવું” “હા” પથર, બેિરે થાય છે. અને વિક્રપ નો અર્થ “બાપ અડવું એ થાય છે. પરંતુ ડે, ખૂ.રે દરવ્યા પ્રમાણે કાગ વિષને કઈ પારિભાષિક અર્થ થતું હોય કે જે પારિભાષિક અર્થ હજી સુધી ની પેલે નથી: કણ મુર દાત અlli fi અન્ય દાનપ• શબ્દ “સભાના ને બદલે વપર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy