________________
गुजरामना ऐतिहासिक लेश्व
થયેલા પદધિના રણ સમાન વેત... ... ... ...વડે દિશામાં પ્રકાશિત કરે છે તે સમયે, પર્વતાની ગુફાઓમાં આશ્રય લીધો હતો તે શત્રુઓનાં મુખ શ્યામ કરી નાંખ્યાં. લેકથી તે સત્યના માટે યુધિષ્ઠિર, મતિમાં વિદુર, દાનમાં ( સર્યને પુત્ર) કર્ણ સ્થિરતામાં સુમેરૂ, બળમાં વાસુદેવ અને રૂપમાં કામદેવ સમાન ગણ્યા હતા
( પંક્તિ ૨૦ ) જેને અંગ, શત્રુના ગજેની ઘટા ભેદવામાં પ્રબળ, ઢહડ સમાન કરથી ભૂષિત છે, જેણે શિવના શિર પરની કળા સમાન વેત યશના પ્રવાહથી સકળ દિશાઓ સ્વેત કરી દીધી છે, જેના ચરણની સેવા આશ્રિત નૃપમંડળથી થાય છે, જે પંચમહાશબ્દનો ઉપભોગ કરે છે તે ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીકક્કરાજ તેના સમસ્ત મહાસામન્ત, સેનાપતિ, બલાધિકૃત, ચદ્ધરણિક, ભગિક, રાજસ્થાનીય આદિને તેમના અધિકાર પ્રમાણે શાસન કરે છે –
(પંક્તિ ૨૪) તમને નહેર થાઓ કે, મારાં માતાપિતા અને મારા પુણ્ય યશ માટે કાશકુલ વિષયમાં આવેલું બૈરાડની પશ્ચિમે, પિપલાચલની ઉત્તરે, કાષ્ટ પુરી અને વારની પૂર્વ અને બૈરાડની મધ્ય સીમાની દક્ષિણે આવેલું સ્થાવરપતિલક ગામ, આ ચાર સીમાવાળું, જામ્બુસરવાસી, રેવિસર (રવીશ્વર) ભદ્રના પુત્ર, ચાર વેદમાં નિપુણ, વત્સ ગોત્રના, અને કવ શાખાના કુકકેશ્વર દીકિતને, બલિ. ગુરૂ વિશ્વદેવ, અગ્નિહેાત્ર આદિ વિધિ અનુષ્ઠાન અર્થે, ચંદ્ર, સર્ય, સાગ, સરિતાઓ, પર્વતે. અને પૃથ્વીના અસ્તિત્વ કાછળસુધી, પુત્ર, પૌત્ર, અને વંશના ઉપલેગ માટે અભ્યન્ત સિદ્ધિ અને ભૂમિછિદ્રના ન્યાય અનુસાર પાણીના અધ્યેથી શરદૂવિષુવકાળમાં, મેં આપ્યું છે.
(પક્તિ ૩૦) આથી ભાવિ ભદ્ર કૃપાએ અને મારા વંશજોએ ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે અને જગત પ્રબળ પવનથી હંકારાતા, સાગરના તરંગો સમાન રાંચળ અને લક્ષમી અનિત્ય છે, એમ માનીને આ દાનને અનુમતિ આપવી અને રક્ષવું.
(પંક્તિ ૩ર) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે, નૃપોમાં શ્રેષ્ઠ, હે યુધિષ્ઠિર ! હારાથી અથવા અન્યથી દેવાયેલી ભૂમિનું તું સંભાળથી રક્ષણ કર દાનનું રક્ષણ દાન કરવા કરતાં અધિક છે ! ભૂમિદાન દેનાર રગ માં ૬૦ હજાર વર્ષ વસે છે પણ (ભૂમિદાનજપ્ત કરનાર અને જપ્તિમાં અનુમતિ આપનાર તેટલાંજ વર્ષ નરકમાં વાસ કરશે. શંખ, સિંહાસન, છત્ર, અ, ગજે, અને લલનાઓ ભૂમિ હાનના મહાન ફળની સરખામણીમાં ચેષ્ટા સમાન છે. ખરેખર, દ્વિજોને દેવાયેલાં ભૂમિ દ્વાન હરનાર, વિંધ્યાચલના નિર્જળ વનનાં, શુષ્ક વૃક્ષના કેટરમાં વસતા કાળા સર્પ જન્મે છે. સગર આદિ બહુ કૃપાએ ભૂમિ ગવી છે, જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે દાનનું ફળ છે.
(પંક્તિ ૩૬ ) શક નૃપના કાળ પછી સંવત છસો ઓગણ્યાએંસી, આશ્વયુજ, શુદિમ અથવા સંખ્યામાં ૬૭૯, ૭ ને દિને.
(પંક્તિ ૩૭) આ દાન જેના દૂતક નૃપ આદિત્યવમાં છે, તે મારાથી, બલાધિકૃત શ્રી તત્તના પુત્ર શ્રી ભેદત્રુથી લખાયું છે.
૧ વિરાધાલંકા અડાલે છે. હું આ
અ
દીTH + 1
+-અને મકાશ તિ’ એમ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org